Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
Rajkot crime news

રાજકોટમાં 60 લાખની ખંડણીના ઇરાદે યુવકની હત્યા કરનાર બંને આરોપીને જન્મટીપ

Gujaratnow1 min read
રાજકોટમાં 60 લાખની ખંડણીના ઇરાદે યુવકની હત્યા કરનાર બંને આરોપીને જન્મટીપ

ખોરાણા ગામના યુવકની 12 વર્ષ પૂર્વે થયેલી હત્યાના કેસમાં પકડાયેલા બંને આરોપીઓ સામેનો કેસ ચાલી જતાં કોર્ટે બંને આરોપીને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી, 60 લાખની ખંડણી ઉઘરાવવાના ઇરાદે યુવકનું તેના જ બે મિત્રોએ અપહરણ કરી હત્યા કરી હતી.

ખોરાણા ગામે રહેતા નયન ઉર્ફે કાળો નાગજીભાઇ ગોંડલિયાને ગત તા.2 ઓક્ટોબર 2011ના ગરબી જોવાના બહાને આરોપી મહેશ બાબુ વેકરિયાની વાડીએ લઇ જઇ ત્યાં ઝેરી દવા પીવડાવી તેમજ પથ્થર અને લોખંડના ઘણ મારીને હત્યા કરી લાશને સણોસરા રોડ પર આવેલા તળાવમાં સિમેન્ટની ગુણી સાથે બાંધી ફેંકી દેવામાં આવી હતી.

નયન લાપતા થયો અને તેની લાશ મળી ત્યાં સુધીમાં તેના પિતા ભાજપના આગેવાન નાગજીભાઇ ગોંડલિયા પાસેથી રૂ.60 લાખની ખંડણી માગવામાં આવી હતી, પોલીસે મહેશ બાબુ વેકરિયા અને માધવ કેશુ ભલસોડની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ કેસમાં 42 સાહેદોની જુબાની અને દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, કોર્ટે પુરાવાઓ અને બંને પક્ષની દલીલોને ધ્યાને લઈ બંને આરોપીને આજીવન કેદ અને 75-75 હજારનનો દંડ ફટકાર્યો હતો.

Gujaratnow1 min read

Related News