જયસ્વાલ ગ્રાઉન્ડમાં ટેન્ટમાં રહીને ટ્રેનિંગ કરતો

જયસ્વાલ ગ્રાઉન્ડમાં ટેન્ટમાં રહીને ટ્રેનિંગ કરતો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)એ ઘણા ખેલાડીઓનું નસીબ બદલી નાખ્યું છે, તેમાંથી એક ભારતીય યુવા ક્રિકેટર યશસ્વી જયસ્વાલ છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં માત્ર 17 વર્ષની વયે 50 ઓવર ફોર્મેટમાં બેવડી સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલે ઘણી મહેનત બાદ મોટી સફળતા હાંસલ કરી છે. યશસ્વી જયસ્વાલ એક સમયે પેટ ભરવા માટે મુંબઈમાં પાણીપુરી વેચતો હતો. અને હવે આજે યશસ્વી જયસ્વાલ IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે રમે છે. તેણે ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી IPLની ઐતિહાસિક 1000મી મેચમાં 62 બોલમાં 124 રનની ક્લાસિક ઇનિંગ રમી હતી. તે IPLમાં ચોથો સૌથી યુવા વયે સદી ફટકારનાર પ્લેયર બની ગયો છે.

U-19 વર્લ્ડ કપ 2020 દરમિયાન યશસ્વી જયસ્વાલનું નામ સૌથી વધુ ચર્ચામાં હતું. યશસ્વી જયસ્વાલના સંઘર્ષની સ્ટોરી બહુ ઓછા લોકો જાણે છે. માત્ર 10 વર્ષની ઉંમરે ઉત્તર પ્રદેશના ભદોહીમાં રહેતા યશસ્વીએ પોતાનું ઘર છોડી દીધું અને મુંબઈ આવી ગયો હતો. કારણ કે તેનું સપનું હતું કે તે ક્રિકેટમાં આગળ વધે. યશસ્વી જયસ્વાલ મુંબઈના આઝાદ મેદાનની બહાર પાણીપુરી વેચતો હતો. યશસ્વી તેની ટ્રેનિંગ દરમિયાન ટેન્ટમાં રહીને રાત ગુજારતો હતો. પરંતુ તેના માટે આ કંઈ મોટી વાત નહોતી. કારણ કે તેણે મન બનાવી લીધું હતું કે તે ક્રિકેટમાં આગળ વધશે. આના માટે તેનામાં ખૂબ જ જુસ્સો હતો. યશસ્વી જયસ્વાલે U-19 વર્લ્ડ કપ 2020માં 400 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને 4 અડધી સદી સામેલ હતી. આ માટે તેને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો અવોર્ડ પણ મળ્યો હતો.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow