જયશંકરે કહ્યું- ચીનના મુદ્દે અડગ છે PM મોદી

વિદેશી મંત્રી એસ જયશંકરે શુક્રવારે કહ્યું કે પીએમ મોદી ચીનના મુદ્દા પર અડગ છે. તેમણે ચીન-ભારત સીમા પર સૈન્યને મજબૂત રીતે તહેનાત કરવા નિર્ણય કરવો જોઈએ. તેમણે કહ્યું કે ચીન સાથેના સંબંધોની વાસ્તવિકતા એ છે કે તે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ભારતનો પાડોશી પણ છે. જોકે આપણો ઈતિહાસ, સંઘર્ષ અને સીમા વિવાદ પણ ચીન સાથે જોડાયેલો છે.
G20 બેઠકમાં જિનપિંગ અને PM મોદી મળ્યા
તાજેતરમાં વડાપ્રધાન મોદી ઈન્ડોનેશિયાના બાલીમાં આયોજિત G20 સમિટની બેઠકમાં ગયા હતા. અહીં તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે હાથ મિલાવ્યા હતા. આ મુદ્દા પર વિપક્ષ PM મોદીની નિંદા કરી રહ્યા હતા, જેને વિદેશમંત્રીએ ફગાવી દીધી હતી

સરહદ પર સૈનિકો તહેનાત કરવા જરૂરી: જયશંકર
જયશંકરે કહ્યું કે ચીન સાથે કોઈપણ વ્યવહાર કરવાનો યોગ્ય માર્ગ એ છે કે, હવે આપણે મક્કમ થઈને રહેવું પડશે. સરહદ પર સૈનિકો તહેનાત કરવા જરૂરી છે, તેથી જો તેઓ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરશે તો અમે તેમની સામે લડવા તૈયાર છીએ. જ્યાં વ્યૂહરચના જરૂરી છે, ત્યાં ઘણી વખત જાહેર થવું પણ જરૂરી બનશે.