જરૂરી નથી કે દરેક કામ આપણી મરજી પ્રમાણે જ થાય, ક્યારેક-ક્યારેક મુશ્કેલીઓ વધી શકે છે

જરૂરી નથી કે દરેક કામ આપણી મરજી પ્રમાણે જ થાય, ક્યારેક-ક્યારેક મુશ્કેલીઓ વધી શકે છે

કામની શરૂઆતમાં આપણી ઈચ્છા હોય છે કે આપણે વગર બાધાએ સફળતા મળી જાય, પરંતુ એવું બહુ જ ઓછું બને છે.  

કામ કરીએ તો બાધાઓ પણ આવશે, ક્યારેક-ક્યારેક ખૂબ વધુ મુશ્કેલીઓ વધી જાય છે, વારંવાર નિષ્ફળતાઓ વધવા લાગે છે. એવી સ્થિતિમાં કેટલાક લોકો નિષ્ફળ થઈને પોતાનું લક્ષ્ય પણ બદલી નાખે છે. આપણે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ અને જે બદલાવ થઈ રહ્યો છે, તેને હકારાત્મકતાની સાથે અપનાવવો જોઈએ. આપણે આ વાત શ્રીરામ પાસેથી શીખી શકીએ છીએ.  

રામાયણમાં શ્રીરામના રાજ્યાભિષેક સાથે જોડાયેલી બધી તૈયારીઓ થઈ ગઈ હતી. અયોધ્યાના લોકો ખૂબ જ ખુશ હતા કે રામ રાજા બનશે. શ્રીરામને પણ આ વાતની જાણ થઈ ગઈ હતી. બધી બાબતો અનુકૂળ હતી, પરંતુ રાજ્યાભિષેકની એક રાત પહેલાં જ કૈકેયી મંથરાની વાતોમાં આવી ગઈ.

મંથરાએ કૈકેયીને શ્રીરામની વિરુદ્ધ એવી ભડકાવી કે તે કોપ ભવનમાં આવીને બેસી ગઈ. રાજા દશરથે જ્યારે આ ખબર પડી તો તે તરત જ કોપ ભવનમાં પહોંચ્યા. એ સમયે કૈકેયીએ રાજા દશરથ પાસે બે વરદાન માગી લીધા. પહેલું, ભરતનો રાજ્યાભિષેક અને બીજું, રામને 14 વર્ષનો વનવાસ.

રાજા દશરથે કૈકેયીને સમજાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો, પરંતુ કૈકેયી પોતાની વાત પર અડગ રહી. હારીને રાજા દશરથે આ વાત શ્રીરામને જણાવી. શ્રીરામે આખી વાત ધ્યાનથી સાંભળી અને પોતાના પિતાના વચનોને પૂરાં કરવા માટે તૈયાર થઈ ગયાં.

જે સમયે શ્રીરામનો રાજ્યાભિષેક થવાનો હતો, એ સમયે રામે વનવાસ જવું પડ્યું, પરંતુ તેઓ આ વાતથી પણ નિરાશ ન થયાં હતાં. તેમને ધૈર્ય રાખ્યું અને હકારાત્મક વિચારની સાથે આ પરિવર્તનનો સ્વીકાર કર્યો.  

શ્રીરામની શીખ

આ પ્રસંગમાં શ્રીરામે સંદેશ આપ્યો છે કે સમય ક્યારેય પણ બદલાઈ શકે છે, એટલા માટે આપણે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. એવું જરૂરી નથી કે દરેક કામ આપણી મરજી પ્રમાણે જ થાય. જો પરિસ્થિતિ આપણી માટે અનુકૂળ નથી તો ધૈર્ય રાખો અને હકારાત્મક વિચારની સાથે પરિવર્તનનો સ્વીકાર કરો, ત્યારે જ સુખ-શાંતિ રહી શકે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow