જરૂરી નથી કે દરેક કામ આપણી મરજી પ્રમાણે જ થાય, ક્યારેક-ક્યારેક મુશ્કેલીઓ વધી શકે છે

જરૂરી નથી કે દરેક કામ આપણી મરજી પ્રમાણે જ થાય, ક્યારેક-ક્યારેક મુશ્કેલીઓ વધી શકે છે

કામની શરૂઆતમાં આપણી ઈચ્છા હોય છે કે આપણે વગર બાધાએ સફળતા મળી જાય, પરંતુ એવું બહુ જ ઓછું બને છે.  

કામ કરીએ તો બાધાઓ પણ આવશે, ક્યારેક-ક્યારેક ખૂબ વધુ મુશ્કેલીઓ વધી જાય છે, વારંવાર નિષ્ફળતાઓ વધવા લાગે છે. એવી સ્થિતિમાં કેટલાક લોકો નિષ્ફળ થઈને પોતાનું લક્ષ્ય પણ બદલી નાખે છે. આપણે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ અને જે બદલાવ થઈ રહ્યો છે, તેને હકારાત્મકતાની સાથે અપનાવવો જોઈએ. આપણે આ વાત શ્રીરામ પાસેથી શીખી શકીએ છીએ.  

રામાયણમાં શ્રીરામના રાજ્યાભિષેક સાથે જોડાયેલી બધી તૈયારીઓ થઈ ગઈ હતી. અયોધ્યાના લોકો ખૂબ જ ખુશ હતા કે રામ રાજા બનશે. શ્રીરામને પણ આ વાતની જાણ થઈ ગઈ હતી. બધી બાબતો અનુકૂળ હતી, પરંતુ રાજ્યાભિષેકની એક રાત પહેલાં જ કૈકેયી મંથરાની વાતોમાં આવી ગઈ.

મંથરાએ કૈકેયીને શ્રીરામની વિરુદ્ધ એવી ભડકાવી કે તે કોપ ભવનમાં આવીને બેસી ગઈ. રાજા દશરથે જ્યારે આ ખબર પડી તો તે તરત જ કોપ ભવનમાં પહોંચ્યા. એ સમયે કૈકેયીએ રાજા દશરથ પાસે બે વરદાન માગી લીધા. પહેલું, ભરતનો રાજ્યાભિષેક અને બીજું, રામને 14 વર્ષનો વનવાસ.

રાજા દશરથે કૈકેયીને સમજાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો, પરંતુ કૈકેયી પોતાની વાત પર અડગ રહી. હારીને રાજા દશરથે આ વાત શ્રીરામને જણાવી. શ્રીરામે આખી વાત ધ્યાનથી સાંભળી અને પોતાના પિતાના વચનોને પૂરાં કરવા માટે તૈયાર થઈ ગયાં.

જે સમયે શ્રીરામનો રાજ્યાભિષેક થવાનો હતો, એ સમયે રામે વનવાસ જવું પડ્યું, પરંતુ તેઓ આ વાતથી પણ નિરાશ ન થયાં હતાં. તેમને ધૈર્ય રાખ્યું અને હકારાત્મક વિચારની સાથે આ પરિવર્તનનો સ્વીકાર કર્યો.  

શ્રીરામની શીખ

આ પ્રસંગમાં શ્રીરામે સંદેશ આપ્યો છે કે સમય ક્યારેય પણ બદલાઈ શકે છે, એટલા માટે આપણે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. એવું જરૂરી નથી કે દરેક કામ આપણી મરજી પ્રમાણે જ થાય. જો પરિસ્થિતિ આપણી માટે અનુકૂળ નથી તો ધૈર્ય રાખો અને હકારાત્મક વિચારની સાથે પરિવર્તનનો સ્વીકાર કરો, ત્યારે જ સુખ-શાંતિ રહી શકે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow