ઈમરાન સમર્થકોના જામથી ઈસ્લામાબાદ બ્લોક

ઈમરાન સમર્થકોના જામથી ઈસ્લામાબાદ બ્લોક

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર થયેલા હુમલાના વિરોધમાં તેમના પક્ષ તહેરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના સમર્થકોએ રસ્તા પર ડેરાતંબૂ તાણી લીધા છે. મંગળવારે પીટીઆઈ સમર્થકોએ દેખાવો કરીને અનેક શહેરોમાં જામ કરી દીધો હતો. તેમણે ઈસ્લામાબાદ એરપોર્ટ તરફ જતા હાઈવે, લાહોર અને પેશાવર તરફથી રાજધાની ઈસ્લામાબાદને જોડતા રસ્તા પણ બ્લોક કરી દીધા હતા. આ કારણસર ઈસ્લામાબાદ મુખ્ય શહેરોથી કપાઈ ગયું હતું. જોકે, દેખાવકારોને ઈસ્લામાબાદમાં ઘૂસતા રોકવા માટે પોલીસે ટિયરગેસના શેલ સાથે પાણીનો મારો કરીને લોકોને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો.

આ પહેલા ઈમરાન સમર્થકોએ પંજાબ પ્રાંતની રાજધાની લાહોરમાં ગવર્નર નિવાસે હુમલો કર્યો એન્ટ્રી ગેટ તોડી નાખ્યો. ફૈસલાબામાં કાર્યકરોએ પાકિસ્તાનના ઈન્ટિરિયર મંત્રી રાણા સનાઉલ્લાહના ઘર પર પણ હુમલો કર્યો અને સરકાર વિરોધી નારા લગાવ્યા. દેશભરમાં થઈ રહેલા આવા દેખાવોથી સામાન્ય નાગરિકો પરેશાન થઈ રહ્યા છે.

ઈસ્લામાબાદના બિઝનેસ મેન મોહમ્મદ અલીએ ભાસ્કરને કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઈસ્લામાબાદમાં જિંદગી મુશ્કેલ બની ગઈ છે. દરેક પક્ષ પોતાના રાજકીય રોટલા શેકીને આખા શહેરને ધરણાં-દેખાવોના બહાને કેદ કરી લે છે. સરકારે આવા રાજકીય દેખાવો પર રોક લગાવીને પ્રજાને રાહત આપવી જોઈએ. બીજી તરફ, રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આગામી દિવસોમાં પાકિસ્તાનનું રાજકીય પરિદૃશ્ય વધુ હિંસક થઈ શકે છે. ઈમરાન પર થયેલા હુમલાથી દેશમાં રાજકીય સંકટ વધશે. પાકિસ્તાન માટે આ મહિનો મહત્ત્વનો છે કારણ કે, રાજકીય સંકટ વચ્ચે દેશમાં નવા સેના પ્રમુખ પણ પસંદ થવાના છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow