ઈમરાન સમર્થકોના જામથી ઈસ્લામાબાદ બ્લોક

ઈમરાન સમર્થકોના જામથી ઈસ્લામાબાદ બ્લોક

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર થયેલા હુમલાના વિરોધમાં તેમના પક્ષ તહેરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના સમર્થકોએ રસ્તા પર ડેરાતંબૂ તાણી લીધા છે. મંગળવારે પીટીઆઈ સમર્થકોએ દેખાવો કરીને અનેક શહેરોમાં જામ કરી દીધો હતો. તેમણે ઈસ્લામાબાદ એરપોર્ટ તરફ જતા હાઈવે, લાહોર અને પેશાવર તરફથી રાજધાની ઈસ્લામાબાદને જોડતા રસ્તા પણ બ્લોક કરી દીધા હતા. આ કારણસર ઈસ્લામાબાદ મુખ્ય શહેરોથી કપાઈ ગયું હતું. જોકે, દેખાવકારોને ઈસ્લામાબાદમાં ઘૂસતા રોકવા માટે પોલીસે ટિયરગેસના શેલ સાથે પાણીનો મારો કરીને લોકોને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો.

આ પહેલા ઈમરાન સમર્થકોએ પંજાબ પ્રાંતની રાજધાની લાહોરમાં ગવર્નર નિવાસે હુમલો કર્યો એન્ટ્રી ગેટ તોડી નાખ્યો. ફૈસલાબામાં કાર્યકરોએ પાકિસ્તાનના ઈન્ટિરિયર મંત્રી રાણા સનાઉલ્લાહના ઘર પર પણ હુમલો કર્યો અને સરકાર વિરોધી નારા લગાવ્યા. દેશભરમાં થઈ રહેલા આવા દેખાવોથી સામાન્ય નાગરિકો પરેશાન થઈ રહ્યા છે.

ઈસ્લામાબાદના બિઝનેસ મેન મોહમ્મદ અલીએ ભાસ્કરને કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઈસ્લામાબાદમાં જિંદગી મુશ્કેલ બની ગઈ છે. દરેક પક્ષ પોતાના રાજકીય રોટલા શેકીને આખા શહેરને ધરણાં-દેખાવોના બહાને કેદ કરી લે છે. સરકારે આવા રાજકીય દેખાવો પર રોક લગાવીને પ્રજાને રાહત આપવી જોઈએ. બીજી તરફ, રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આગામી દિવસોમાં પાકિસ્તાનનું રાજકીય પરિદૃશ્ય વધુ હિંસક થઈ શકે છે. ઈમરાન પર થયેલા હુમલાથી દેશમાં રાજકીય સંકટ વધશે. પાકિસ્તાન માટે આ મહિનો મહત્ત્વનો છે કારણ કે, રાજકીય સંકટ વચ્ચે દેશમાં નવા સેના પ્રમુખ પણ પસંદ થવાના છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow