ISISનો ચીફ અબુ હસન માર્યો ગયો!

ISISનો ચીફ અબુ હસન માર્યો ગયો!

આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરિયા (ISIS)નો ચીફ અબુ હસન અલ હાશમી માર્યો ગયો છે. આ જ સંગઠનના પ્રવક્તાએ તેના મોતની જાણકારી આપી છે. તેણે કહ્યું હતું કે દપશ્મનોની લડાઈ વખતે તેના લીડરનું મોત થઈ ગયું છે. 9 મહિના પહેલાં જ આ સંગઠનનો લીડર બનાવવામાં આવ્યો હતો.

અબુ હસનના મર્યા પછી સંગઠને નવા લીડરની પણ ઘોષણા કરી દીધી છે. હવે ISISનો નવો ચીફ અબુ અલ-હુસૈન અલ કુરેશી હશે.

ISISના પ્રવક્તાએ પોતાના લીડરના મોતની પુષ્ટિ તો કરી દીધી છે, પરંતુ એ કેવી રીતે મર્યો એ વિશે જણાવવામાં આવ્યું નથી. કયા સંગઠન અથવા તો આર્મી સાથે લડ્યા વખતે માર્યો ગયો એ વિશે કંઈ કહ્યું નથી.

ફેબ્રુઆરીમાં માર્યો ગયો હતો જૂનો ચીફ
ફેબ્રુઆરી 2022માં અમેરિકાએ ISISનો જૂનો ચીફ ઇબ્રાહિમ અલ હાશમી અલ કુરેશીને મારી નાખ્યો હતો. અમેરિકાના પ્રેસિડન્ટે એક નિવેદન બહાર પાડીને જાણ કરી હતી કે 'અમે યુદ્ધના મેદાનમાં અબુ ઇબ્રાહિમ અલ હાશમીને મારી નાખ્યો છે. તે ISISનો લીડર હતો.' જોકે સંગઠને માર્ચમાં પહેલીવાર અલ હાશમીની મરી જવાની પુષ્ટિ આપી હતી. અને આ પછી અબુ હસનને નવો લીડર બનાવવામાં આવ્યો હતો.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow