આઇએસે બોમ્બ બનાવવાની ટ્રેનિંગ માટે કેટલાંક રાજ્યોમાં રોમિંગ ટ્રેનર મોકલ્યા

આઇએસે બોમ્બ બનાવવાની ટ્રેનિંગ માટે કેટલાંક રાજ્યોમાં રોમિંગ ટ્રેનર મોકલ્યા

આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)એ ભારતમાં દહેશત ફેલાવવા માટે નવા મોડ્યૂલ અપનાવવા માટેની તૈયારી કરી છે. આ ખુલાસો રાજસ્થાનમાં આઇઇડી મામલામાં આતંકીઓની ધરપકડ બાદ કરાયો છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા ( એનઆઇએ) દ્વારા આઇએસના આતંકીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ થયો છે.

એજન્સીના સૂત્રોના કહેવા મુજબ નવા મોડ્યૂલને અંજામ આપવા માટે આઇએસે મધ્યપ્રદેશના રતલામમાં બે આતંકીઓને ખાસ ટ્રેનર આપીને વિસ્ફોટક નિષ્ણાત બનાવ્યા છે. ત્યારબાદ તેમને રોમિંગ ટ્રેનર બનાવીને જુદાં જુદાં રાજ્યોમાં મોકલ્યા હતા. આ રોમિંગ ટ્રેનર મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કેરળ, જમ્મુ-કાશ્મીર અને બીજાં રાજ્યોમાં આતંકીઓને આઇઇડી વિસ્ફોટક તૈયાર કરવાની ટ્રેનિંગ આપી રહ્યા હતા.

રાજસ્થાનના ચિત્તોડગઢમાં વર્ષ 2022માં આઇઇડી બોમ્બ મળ્યો હતો. એજન્સીએ જ્યારે કાવતરાની તપાસ કરી ત્યારે તેની પાછળ આઇએસ સાથે જોડાયેલા સુફા આતંકી સંગઠન અંગે માહિતી મળી હતી. એવી પણ માહિતી મળી કે રાજસ્થાનમાં આઇઇડી બોમ્બ બનાવવાની ટ્રેનિંગ આપવાના હેતુથી ચિત્તોડગઢમાં કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં સુફાની સંડોવણી હતી. જોકે સુરક્ષા સંસ્થાઓ એલર્ટ હોવાના કારણે તેમનાં કાવતરાંનો પર્દાફાશ થઇ ગયો હતો.

મધ્યપ્રદેશના રતલામમાં રહેતા મોહમ્મદ યુનુસ સાકી અને ઇમરાન ખાન ઉર્ફે યુસુફે આઇએસના આતંકીઓની મદદથી વિસ્ફોટક તૈયાર કરવાની ટ્રેનિંગ લીધી હતી. ત્યારબાદ આ રોમિંગ ટ્રેનર બનીને રાજસ્થાન પહોંચ્યા હતા.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow