ઘરમાં કબુતરનો માળો હોવો શુભ હોય છે કે અશુભ?, જાણો કબુતર સંંબંધી અન્ય વાસ્તુ સંકેત

ઘરમાં કબુતરનો માળો હોવો શુભ હોય છે કે અશુભ?, જાણો કબુતર સંંબંધી અન્ય વાસ્તુ સંકેત

સુખ અને શાંતિનુ પ્રતિક છે કબુતર

હિન્દુ ધર્મ અને વાસ્તુ શાસ્ત્રમાં ઘણી વસ્તુઓને શુભ અને અશુભ માનવામાં આવે છે. આ પરંપરાઓ સદીઓથી આ રીતે ચાલી રહી છે. આવી અમુક માન્યતાઓ પશુ-પક્ષીને લઇને છે. જેમાંથી એક છે કબુતર. સુખ અને શાંતિનુ પ્રતિક મનાતા કબુતરને લઇને મનમાં બે મત ચાલી રહ્યાં છે. વાસ્તુની દ્રષ્ટિએ કબુતરને માં લક્ષ્મીનુ ભક્ત માનવામાં આવે છે. એવામાં કબુતરનુ ઘરમાં આવવુ શુભ મનાય છે. તો અમુક લોકોનુ માનવુ છે કે કબુતરનુ ઘરમાં રહેવાથી દુર્ભાગ્ય વધે છે. જાણો કેટલાંક આવા કબુતર સંબંધી સંકેતો અંગે.

ઘરમાં માળો બનાવવો

સામાન્ય રીતે માનવામાં આવે છે કે ઘરમાં કબુતરનો માળો બનાવવો અશુભ હોય છે. ઘરની બાલકની અને છત પર માળો બનાવવાનો અર્થ છે કે તે પોતાની સાથે દુર્ભાગ્ય લઇને આવ્યું છે. એવામાં તેને તાત્કાલિક હટાવી દેવુ જોઈએ. નહીંતર વ્યક્તિએ અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે. આ સાથે ઘરમાં રહેતા સભ્યોની પ્રગતિની સાથે આર્થિક તંગી પર ખરાબ અસર પડે છે.

બુધ અને ગુરૂ ગ્રહની સ્થિતિ થશે મજબુત

વાસ્તુ શાસ્ત્ર મુજબ માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે કબુતરને દાણા અવશ્ય નાખવા જોઈએ. આમ કરવાથી કુંડળીમાં ગુરૂ અને બુધની સ્થિતિ પણ મજબુત થાય છે. આ સાથે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે.

કબુતર સંંબંધી અન્ય વાસ્તુ સંકેત

અચાનક કબુતર મળી જાય

વાસ્તુ મુજબ જો બહાર જતી વખતે અચાનક કબુતર તમારી જમણી બાજુથી ઉડીને જાય તો તમારા ભાઈ અને પરિવારજનો માટે શુભ હોતુ નથી.

કબુતરની અવાજ જીવન બદલી શકે છે

વાસ્તુ શાસ્ત્ર મુજબ જો કબુતર દિવસના પ્રથમ પ્રહરમાં ગુટર ગૂં કરે તો તેનો અર્થ છે કે લાભ મળશે, ત્રીજા પ્રહરમાં લગ્ન અને પ્રેમ સંબંધી હોઇ શકે છે. પરંતુ ચોથા પ્રહરમાં ગુટર ગું કરવાથી કામમાં હાનિ પહોંચે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow