મોટા શેરોમાં સ્થિરતાના કારણે મિડકેપ-સ્મોલકેપ શેરોમાં રોકાણ વધ્યું

મોટા શેરોમાં સ્થિરતાના કારણે મિડકેપ-સ્મોલકેપ શેરોમાં રોકાણ વધ્યું

એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં નાની અને મધ્યમ કંપનીઓના શેરે મોટી કંપનીઓ કરતાં અઢી ગણું વળતર આપ્યું છે. આ દરમિયાન, સેન્સેક્સમાં 7.2% તેજી આવી, પરંતુ મિડકેપ ઇન્ડેક્સ લગભગ 16% અને સ્મોલકેપ ઇન્ડેક્સ 19% વધ્યો. વિશ્લેષકો માને છે કે સ્મોલકેપ અને મિડકેપ શેરો આ વર્ષે મોટા શેરો કરતાં લગભગ બમણું વળતર આપશે.

ICICI સિક્યોરિટીઝ, LKP સિક્યોરિટીઝ અને મોતીલાલ ઓસ્વાલ અનુસાર, નિફ્ટી સ્મોલકેપ 100 અને મિડકેપ 100 ઈન્ડેક્સની અર્નિંગ ગ્રોથ 2024-25 સુધી નિફ્ટી 50 કરતાં વધી શકે છે. LKP સિક્યોરિટીઝ માને છે કે માર્ચ 2024 સુધીમાં મિડકેપ ઇન્ડેક્સનું વળતર નિફ્ટી 50 કરતા બમણું થઈ જશે.

ICICI સિક્યો. અનુસાર, સ્મોલકેપ શેરોમાં વિદેશી રોકાણકારોએ જૂન 2022 થી વેચાણ બંધ કરી દીધું છે. 2023થી આવા શેરોમાં તેમનું હોલ્ડિંગ ઝડપથી વધી રહ્યું છે. આ ટ્રેન્ડ ચાલુ રહી શકે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow