ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ પ્રજનન સ્વાસ્થ્ય માટે જોખમી

ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ પ્રજનન સ્વાસ્થ્ય માટે જોખમી

આજના સમયમાં ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગને વજન ઓછો કરવા માટે એક શ્રેષ્ઠ રીત માનવામાં આવે છે. ઘણાં ડોક્ટર્સ પોતાનાં દર્દીઓને આ ડાયટ રુટિન ફોલો કરવાની સલાહ આપે છે. એમ તો તે ઘણા બધા લોકો માટે લાભદાયી સાબિત થાય છે પરંતુ, એક વર્તમાન સ્ટડી મુજબ આ ડાયટનાં કારણે મહિલાઓનાં હોર્મોન પર નકારાત્મક પ્રભાવ પડી શકે.

ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ એટલે કે IF ડાયટિંગની એક એવી વિધિ છે, જેમાં 24 કલાકને બે ભાગમાં વેચાય છે. આ ફાસ્ટિંગ ભોજનના સમયને સીમિત કરી દે છે. તેને કોઈપણ વ્યક્તિ પોતાની સુવિધા પ્રમાણે ફોલો કરી શકે. તેમાં ‘શું ખાવું’ તેની જગ્યાએ ‘ક્યારે ખાવું’ એ બાબત પર મહત્વ આપવામાં આવે છે. સામાન્ય રીતે આ ફાસ્ટિંગમાં લોકો દરરોજનાં 12 થી 16 કલાક ફાસ્ટ કરે છે.

અમેરિકાની ઈલિનોઈસ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો મોટાપાનો અભ્યાસ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન તેમને ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગનાં કારણે સ્ત્રીઓમાં થતાં ફેરફારો વિશે જાણ થઈ. આ અભ્યાસમાં મેનોપોઝ પહેલાં અને પછીની મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે બધી જ મહિલાઓ મોટાપાની શિકાર હતી. 8 અઠવાડિયા સુધી ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરવાનું કહેવામાં આવ્યું હતું.

પ્રજનન હોર્મોનની માત્રામાં ઘટાડો નોંધાયો
આ ફાસ્ટિંગ કરતાં ઉમેદવારોએ દરરોજ ફક્ત 4 કલાકની અંદર જ ભોજન કરવાનું. તે પછી તેમનાં બ્લડ સેમ્પલ્સ લઈને હોર્મોન્સની તપાસ કરવામાં આવી હતી. પરિણામોમાં જોવા મળ્યું કે, મહિલાઓનાં એગની ક્વોલિટીને મજબૂત કરનારા ડીહાઈડ્રો એપિયનડ્રોસ્ટેરોન (DHEA)ની માત્રા ઓછી થઈ ગઈ. આ ઘટાડો 14% સુધી નોંધવામાં આવ્યો. મેનોપોઝ પછી એમ પણ એસ્ટ્રોજનની માત્રા એકાએક ઓછી થઈ જાય. જો કે, અભ્યાસ દરમિયાન આ મહિલાઓમાં સેક્સ્યુ્લ ડિસફંકશન કે સ્કિનમાં બદલાવ જોવા ન મળ્યા.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow