ફુગાવાને ધ્યાનમાં રાખી વ્યાજ દર જાળવવામાં આવ્યો: RBI

ફુગાવાને ધ્યાનમાં રાખી વ્યાજ દર જાળવવામાં આવ્યો: RBI

દેશના અનેક રાજ્યોમાં ખાદ્યપદાર્થોની કિંમતના આંચકાની ફુગાવા પર અસરની શક્યતાને ધ્યાનમાં રાખતા RBIએ આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી MPC બેઠક દરમિયાન રેપોરેટ યથાવત્ રાખવાનો નિર્ણય લીધો હતો. ગત 10 ઓગસ્ટના રોજ યોજાયેલી MPC બેઠક દરમિયાન RBIએ ફુગાવાની ચિંતા વ્યક્ત કરતા રેપોરેટ 6.5% પર યથાવત્ રાખ્યો હતો. RBIએ જણાવ્યું હતું કે ફુગાવાને નિયંત્રણમાં લાવવાનું અમારું કામ હજુ પૂરું થયું નથી.

RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ખાદ્યપદાર્થોની કિંમતમાં વધુ વધારો થાય ત્યારે ફુગાવાનું દબાણ ન વધે તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. ફુગાવાને લક્ષ્ય સુધી નીચે લાવવાના MPCના ઉદ્દેશ્ય માટે કોર ફુગાવામાં સતત સરળતા સુનિશ્ચિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. MPC ફુગાવાને અસર કરતા પરિબળોનું નજીકથી આકલન કરશે અને એ પ્રમાણે એક્શન લેશે.

જો કે તાજેતરમાં ખાદ્યપદાર્થોની કિંમતમાં વધારો ટૂંકા ગાળા માટે હશે. આગામી સમયમમાં નવા પાકના આગમનને કારણે શાકભાજીની કિંમતોમાં ઘટાડો શક્ય બનશે ત્યારે અલ નીનોની અસર, વૈશ્વિક સ્તરે ખાદ્યપદાર્થોની કિંમતમાં વોલેટિલિટી જેવા પરિબળોને કારણે ખાદ્યપદાર્થો અને એકંદરે ફુગાવાને અસર થઇ શકે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow