ફુગાવાને ધ્યાનમાં રાખી વ્યાજ દર જાળવવામાં આવ્યો: RBI

ફુગાવાને ધ્યાનમાં રાખી વ્યાજ દર જાળવવામાં આવ્યો: RBI

દેશના અનેક રાજ્યોમાં ખાદ્યપદાર્થોની કિંમતના આંચકાની ફુગાવા પર અસરની શક્યતાને ધ્યાનમાં રાખતા RBIએ આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી MPC બેઠક દરમિયાન રેપોરેટ યથાવત્ રાખવાનો નિર્ણય લીધો હતો. ગત 10 ઓગસ્ટના રોજ યોજાયેલી MPC બેઠક દરમિયાન RBIએ ફુગાવાની ચિંતા વ્યક્ત કરતા રેપોરેટ 6.5% પર યથાવત્ રાખ્યો હતો. RBIએ જણાવ્યું હતું કે ફુગાવાને નિયંત્રણમાં લાવવાનું અમારું કામ હજુ પૂરું થયું નથી.

RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ખાદ્યપદાર્થોની કિંમતમાં વધુ વધારો થાય ત્યારે ફુગાવાનું દબાણ ન વધે તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. ફુગાવાને લક્ષ્ય સુધી નીચે લાવવાના MPCના ઉદ્દેશ્ય માટે કોર ફુગાવામાં સતત સરળતા સુનિશ્ચિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. MPC ફુગાવાને અસર કરતા પરિબળોનું નજીકથી આકલન કરશે અને એ પ્રમાણે એક્શન લેશે.

જો કે તાજેતરમાં ખાદ્યપદાર્થોની કિંમતમાં વધારો ટૂંકા ગાળા માટે હશે. આગામી સમયમમાં નવા પાકના આગમનને કારણે શાકભાજીની કિંમતોમાં ઘટાડો શક્ય બનશે ત્યારે અલ નીનોની અસર, વૈશ્વિક સ્તરે ખાદ્યપદાર્થોની કિંમતમાં વોલેટિલિટી જેવા પરિબળોને કારણે ખાદ્યપદાર્થો અને એકંદરે ફુગાવાને અસર થઇ શકે છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow