ફુગાવાને ધ્યાનમાં રાખી વ્યાજ દર જાળવવામાં આવ્યો: RBI

ફુગાવાને ધ્યાનમાં રાખી વ્યાજ દર જાળવવામાં આવ્યો: RBI

દેશના અનેક રાજ્યોમાં ખાદ્યપદાર્થોની કિંમતના આંચકાની ફુગાવા પર અસરની શક્યતાને ધ્યાનમાં રાખતા RBIએ આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી MPC બેઠક દરમિયાન રેપોરેટ યથાવત્ રાખવાનો નિર્ણય લીધો હતો. ગત 10 ઓગસ્ટના રોજ યોજાયેલી MPC બેઠક દરમિયાન RBIએ ફુગાવાની ચિંતા વ્યક્ત કરતા રેપોરેટ 6.5% પર યથાવત્ રાખ્યો હતો. RBIએ જણાવ્યું હતું કે ફુગાવાને નિયંત્રણમાં લાવવાનું અમારું કામ હજુ પૂરું થયું નથી.

RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ખાદ્યપદાર્થોની કિંમતમાં વધુ વધારો થાય ત્યારે ફુગાવાનું દબાણ ન વધે તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. ફુગાવાને લક્ષ્ય સુધી નીચે લાવવાના MPCના ઉદ્દેશ્ય માટે કોર ફુગાવામાં સતત સરળતા સુનિશ્ચિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. MPC ફુગાવાને અસર કરતા પરિબળોનું નજીકથી આકલન કરશે અને એ પ્રમાણે એક્શન લેશે.

જો કે તાજેતરમાં ખાદ્યપદાર્થોની કિંમતમાં વધારો ટૂંકા ગાળા માટે હશે. આગામી સમયમમાં નવા પાકના આગમનને કારણે શાકભાજીની કિંમતોમાં ઘટાડો શક્ય બનશે ત્યારે અલ નીનોની અસર, વૈશ્વિક સ્તરે ખાદ્યપદાર્થોની કિંમતમાં વોલેટિલિટી જેવા પરિબળોને કારણે ખાદ્યપદાર્થો અને એકંદરે ફુગાવાને અસર થઇ શકે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow