રિયલ એસ્ટેટ સેક્ટરમાં સંસ્થાકીય રોકાણ વધીને $2.93 અબજ આંબ્યું

રિયલ એસ્ટેટ સેક્ટરમાં સંસ્થાકીય રોકાણ વધીને $2.93 અબજ આંબ્યું

ચાલુ વર્ષે જાન્યુઆરી-જૂન દરમિયાન વૈશ્વિક પડકારો છતાં રોકાણકારોએ ભરોસો દર્શાવતા રિયલ એસ્ટેટ સેક્ટરમાં સંસ્થાકીય રોકાણ આંશિક વધીને $2.93 અબજ નોંધાયું છે. ગત વર્ષે આ સેક્ટરમાં $2.88 અબજનું રોકાણ થયું હતું. આર્થિક વૃદ્ધિદર અને ભૌગોલિક રાજકીય તણાવ સહિતના વૈશ્વિક પડકારો છતાં સંસ્થાકીય રોકાણકારોએ ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ભરોસો મૂક્યો હતો. સેક્ટરમાં રોકાણમાં વૃદ્ધિ એ આંતરરાષ્ટ્રીય માર્કેટ વચ્ચે ઉભરતા ભારતના માર્કેટમાં રહેલી ગ્રોથની તકોને દર્શાવે છે તેવું JLL ઇન્ડિયાએ જણાવ્યું હતું.

પ્રોપર્ટી કન્સલટન્ટ જેએલએલ ઇન્ડિયા અનુસાર દેશના રિયલ એસ્ટેટ સેક્ટરમાં નાણાકીય વર્ષ 2023ના પહેલા છ મહિના દરમિયાન 22 ડીલ મારફતે $2,939 મિલિયનનું રોકાણ જોવા મળ્યું હતું. રોકાણ માટેની પેટર્ન મજબૂત રહી છે અને આ કેલેન્ડર વર્ષે તે $5 અબજને આંબે તેવી શક્યતા છે. ડેટા અનુસાર, ઓફિસ એસેટ્સમાં જાન્યુઆરી-જૂન દરમિયાન રોકાણ ગત વર્ષના $1,056 મિલિયનથી વધીને $1,927 મિલિયન નોંધાયું છે.

ચાલુ વર્ષના પહેલા છ મહિના દરમિયાન રહેણાંક મિલકતોમાં $512 મિલિયનનું રોકાણ જોવા મળ્યું હતું. જ્યારે ગત વર્ષે તેમાં $429 મિલિયનું રોકાણ નોંધાયું હતું. વેરહાઉસ એસેટ્સમાં રોકાણ અગાઉના $203 મિલિયનથી વધીને $366 મિલિયન રહ્યું છે. જ્યારે હોટલ ઇન્ડસ્ટ્રીમાં પણ ગત વર્ષની તુલનાએ $134 મિલિયનનું રોકાણ થયું હતું. જો કે ગત વર્ષે $499 મિલિયનના રોકાણ સામે આ વર્ષે જાન્યુઆરી-જૂન દરમિયાન ડેટા સેન્ટર્સ, રિટેલ અને અન્ય પ્રોજેક્ટસમાં કોઇપણ પ્રકારનું રોકાણ જોવા મળ્યું નથી.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow