વધતી ગરમીથી બચવા માટે ગગનચુંબી ઇમારતોને બદલે જમીનની નીચે બંકરમાં રહેવાનો યોગ્ય વિકલ્પ બની શકે છે

વધતી ગરમીથી બચવા માટે ગગનચુંબી ઇમારતોને બદલે જમીનની નીચે બંકરમાં રહેવાનો યોગ્ય વિકલ્પ બની શકે છે

સમયાંતરે જળ-વાયુ પરિવર્તનના કારણે હવામાનમાં પણ બદલાવ આવી રહ્યો છે. જેના કારણે પૃથ્વીની સપાટી ગરમ થતી જાય છે. તેનાથી બચવા માટે હવે જમીનની નીચે ઘર બનાવવાનું વિચારી શકાય છે. વાસ્તવમાં ભૂગર્ભમાં રહેવું ન માત્ર સંભવ છે, પરંતુ માણસો અને પ્રાણીઓ માટે પણ એક ઇતિહાસ બની શકે છે.

આજે પણ દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં ઓપલ માઇનિંગ નગર કૂબર પેડીની 60% વસ્તી ભૂગર્ભમાં રહે છે. ઉનાળામાં 52 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને શિયાળામાં 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઠંડું હોવા છતાં પણ જમીનની નીચેનું તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર રહે છે. જ્યાં એક તરફ વધતા તાપમાનને કારણે પૃથ્વીની સપાટી પર રહેવું મુશ્કેલ બની જાય છે, તો બીજી તરફ આ લોકોએ જમીનની નીચે ખૂબ જ આરામદાયક સેટઅપ બનાવ્યા છે.

લોન્જ અને સ્વિમિંગ પૂલ સિવાય તેમાં બીજી ઘણી વસ્તુઓ બનાવવામાં આવી છે. જમીનની અંદરનું વાતાવરણ લોકો માટે અનુકૂળ બનાવવા માટે કુદરતી હવા, પ્રકાશ હોવા જરૂરી છે. જળ-વાયુ પરિવર્તનના કારણે ઈરાન, પાકિસ્તાન અને ભારતના ભાગો ખતરનાક રીતે તપી રહ્યા છે. બીજી તરફ તાપમાનમાં વધારાને કારણે પૃથ્વી 12 મીમી સુધી વિસ્તરી શકે છે. આ ધીમે ધીમે ઇમારતોને માળખાકીય નુકસાન તરફ દોરી શકે છે. જો તાપમાન આમ જ વધતું રહેશે તો કદાચ આપણે ગગનચુંબી ઈમારતોને બદલે ભૂગર્ભ બંકરો બનાવવાનું વિચારવું પડશે. આ સમસ્યાનો સામનો કરવા માટે આ એક સારો ઉકેલ હોઈ શકે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow