નાદારી કાયદામાં આંતરિક રાહતની જોગવાઈ નથી : NCLT

નાદારી કાયદામાં આંતરિક રાહતની જોગવાઈ નથી : NCLT

ગો ફર્સ્ટ એરલાઈન્સને નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)માંથી રાહત ના મળતા મોટો ઝટકો લાગ્યો છે. એનસીએલટીએ એરલાઈનને નાદાર થવાની અરજીની અંગે સુનાવણી કરતા કહ્યું હતું કે ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી) એટલે કે નાદારીને લગતા કાયદામાં આંતરિક રાહત (ઈન્ટરિમ મોરેટોરિયમ)ની કોઈ જોગવાઈ નથી. આઈબીસી કાયદા હેઠળ ફક્ત સંપૂર્ણ રાહત (એબ્સ્યોલુટ મોરેટોરિયમ) જ આપી શકાય. ગો ફર્સ્ટે લીઝ પર લીધેલાં 26 વિમાન જપ્ત થતાં બચાવવા માટે એનસીએલટીમાં અરજી કરી હતી.આ દરમિયાન ગો ફર્સ્ટે ફ્લાઈટોની ઉડાન પર રોકની તારીખ પાંચમી મેથી લંબાવીને નવમી મે કરી દીધી હતી.

26માંથી 17 વિમાન પાછાં લેવાની પ્રક્રિયા ચાલુ
ગો ફર્સ્ટે 26 વિમાન બચાવવા વચગાળાની રાહત માટે અરજી કરી છે, પરંતુ તે પૈકી 17 વિમાન પાછાં લઈ લેવા લીઝ કંપનીઓએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. લીઝ પર આપેલાં વિમાનો પાછાં લેવા એક લાંબી પ્રક્રિયા હોય છે. તે અંતર્ગત વિમાનોની સંપૂર્ણ ટેક્નિકલ તપાસ પણ કરાય છે. જો તેમાં કોઈ ખામી કે કમી હોય તો એરલાઈન્સ કંપનીઓના ખર્ચે તે ઠીક કરાવાય છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow