નાદારી કાયદામાં આંતરિક રાહતની જોગવાઈ નથી : NCLT

નાદારી કાયદામાં આંતરિક રાહતની જોગવાઈ નથી : NCLT

ગો ફર્સ્ટ એરલાઈન્સને નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)માંથી રાહત ના મળતા મોટો ઝટકો લાગ્યો છે. એનસીએલટીએ એરલાઈનને નાદાર થવાની અરજીની અંગે સુનાવણી કરતા કહ્યું હતું કે ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી) એટલે કે નાદારીને લગતા કાયદામાં આંતરિક રાહત (ઈન્ટરિમ મોરેટોરિયમ)ની કોઈ જોગવાઈ નથી. આઈબીસી કાયદા હેઠળ ફક્ત સંપૂર્ણ રાહત (એબ્સ્યોલુટ મોરેટોરિયમ) જ આપી શકાય. ગો ફર્સ્ટે લીઝ પર લીધેલાં 26 વિમાન જપ્ત થતાં બચાવવા માટે એનસીએલટીમાં અરજી કરી હતી.આ દરમિયાન ગો ફર્સ્ટે ફ્લાઈટોની ઉડાન પર રોકની તારીખ પાંચમી મેથી લંબાવીને નવમી મે કરી દીધી હતી.

26માંથી 17 વિમાન પાછાં લેવાની પ્રક્રિયા ચાલુ
ગો ફર્સ્ટે 26 વિમાન બચાવવા વચગાળાની રાહત માટે અરજી કરી છે, પરંતુ તે પૈકી 17 વિમાન પાછાં લઈ લેવા લીઝ કંપનીઓએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. લીઝ પર આપેલાં વિમાનો પાછાં લેવા એક લાંબી પ્રક્રિયા હોય છે. તે અંતર્ગત વિમાનોની સંપૂર્ણ ટેક્નિકલ તપાસ પણ કરાય છે. જો તેમાં કોઈ ખામી કે કમી હોય તો એરલાઈન્સ કંપનીઓના ખર્ચે તે ઠીક કરાવાય છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow