Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
National

ગરદનના ભાગે ઈજાના નિશાન મળ્યાં, પરસ્પર લડાઈમાં મોતની સંભાવના

Gujaratnow1 min read
ગરદનના ભાગે ઈજાના નિશાન મળ્યાં, પરસ્પર લડાઈમાં મોતની સંભાવના

શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાં મંગળવારે વધુ એક ચિત્તા તેજસનું મોત થયું હતું. તેની ગરદન પરના ઘા જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેજસે ચિત્તાઓની પરસ્પર લડાઈમાં જીવ ગુમાવ્યો છે.

પીસીસીએફ જેએસ ચૌહાણે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે તેજસની ગરદન પર ઘા જોવા મળ્યા હતા. જેને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેનું મોત પરસ્પર સંઘર્ષ દરમિયાન થયું છે. બુધવારે સવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. છેલ્લા 4 મહિનામાં કુનોમાં મરનાર આ 7મો ચિત્તા છે.

70 વર્ષ પછી ચિત્તાઓ દેશમાં પરત ફર્યા હતા, જ્યારે 17 સપ્ટેમ્બર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ પર કુનો નેશનલ પાર્ક ખાતે નામીબિયામાંથી લાવેલા 8 ચિત્તાને રિલીઝ કર્યા હતા. આ વર્ષે 18 ફેબ્રુઆરીના રોજ, દક્ષિણ આફ્રિકાના 12 વધુ ચિત્તા કુનોમાં છોડવામાં આવ્યા હતા. એટલે કે, નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કુલ 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા.

Gujaratnow1 min read

Related News