ઈજાગ્રસ્ત સંજુ સેમસન T20 સિરીઝમાંથી બહાર!

ઈજાગ્રસ્ત સંજુ સેમસન T20 સિરીઝમાંથી બહાર!

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણીની બીજી મેચ આજે સાંજે 7 વાગ્યાથી પુણેમાં રમાશે. ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ જીતીને સીરીઝમાં 1-0થી આગળ છે. જો ભારત બીજી મેચ જીતશે તો શ્રીલંકા સામેની આ ચોથી દ્વિપક્ષીય સીરીઝ જીતશે. આ સાથે જ શ્રીલંકાની ટીમે મેચ જીતીને સીરીઝમાં 1-1થી બરાબરી કરવા માંગે છે. મુંબઈમાં રમાયેલી પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સના વિકેટકીપર જીતેશ શર્માને ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત સંજુ સેમસનના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં એક કરતાં વધુ મેચોની 6 દ્વિપક્ષીય સિરીઝ રમાઈ છે. 4માં ભારત અને એકમાં શ્રીલંકાનો વિજય થયો હતો. એક સિરીઝ ડ્રો થઈ હતી. શ્રીલંકાની ટીમ અત્યાર સુધી ભારતને એક પણ સિરીઝમાં હરાવી શકી નથી. આવી સ્થિતિમાં એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકાએ બાકીની બંને મેચ જીતીને ભારતમાં પ્રથમ T20 સિરીઝ જીતીને રેકોર્ડ બનાવી શકે છે.

શ્રીલંકાએ સતત 11 T20 હારી છે
શ્રીલંકાની ટીમ ભારતમાં ભારત સામે સતત 11 ટી20 મેચ હારી છે. આમાં અનિર્ણિત મેચોનો સમાવેશ થતો નથી. ટીમની છેલ્લી ટી-20 જીત ભારત સામે 2016માં મળી હતી. શ્રીલંકા માટે સારી વાત એ છે કે જીત પુણેમાં જ મળી હતી. આ મેદાન પર બંને વચ્ચે 2 T20 મેચ રમાઈ છે. એકમાં શ્રીલંકા અને બીજી ભારતે જીતી હતી. આ મેદાન પર ભારતે ઈંગ્લેન્ડ સામે ટી-20 પણ રમી છે. જેમાં અમારો વિજય થયો હતો.

બંને દેશોની વચ્ચે એલરએલ 27 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. 18માં ભારત અને 8માં શ્રીલંકાને જીત મળી છે. એક મેચ અનિર્ણિત રહી. ભારતમાં ટી-20 મેચોની વાત કરીએ તો બંને ટીમો 15 વખસ આમને-સામને થઈ. 12માં ભારત અને 2માં શ્રીલંકાને જીત મળી. એક મેચ અનિર્ણિત રહી હતી.

Read more

ટ્રમ્પનો આદેશ - અમેરિકાનો ધ્વજ સળગાવનારને જેલ થશે

ટ્રમ્પનો આદેશ - અમેરિકાનો ધ્વજ સળગાવનારને જેલ થશે

સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે બે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. પહેલા ઓર્ડરમાં, પૈસા જમા કરાવ્યા વિના આરોપીઓને મુક્ત કરવાની

By Gujaratnow
બાંગ્લાદેશે કહ્યું- પાકિસ્તાન 1971ના નરસંહારની માફી માગે

બાંગ્લાદેશે કહ્યું- પાકિસ્તાન 1971ના નરસંહારની માફી માગે

બાંગ્લાદેશે પાકિસ્તાનને 1971ના નરસંહાર માટે માફી માગવા કહ્યું છે. હકીકતમાં પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન મોહમ્મદ ઇશાક ડારે

By Gujaratnow
રેખા ઝુનઝુનવાલા પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ

રેખા ઝુનઝુનવાલા પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ

રેખા ઝુનઝુનવાલા પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ આ આરોપો લગાવ્યા છે. આ આરોપો એટલા માટે લગાવવામાં આવી રહ્યા

By Gujaratnow