ફુગાવો વધુ રહેશે, સરકારી નીતિઓથી તેમાં સતત વધારો અટકશે: S&P

ફુગાવો વધુ રહેશે, સરકારી નીતિઓથી તેમાં સતત વધારો અટકશે: S&P

ભારતમાં નજીકના સમયગાળામાં ફુગાવો વધુ રહેશે પરંતુ સરકારની નીતિ તેને વધુ વધતા અટકાવશે તેવું S&P ગ્લોબલ રેટિંગ્સના અર્થશાસ્ત્રી વિશ્રુત રાણાએ જણાવ્યું હતું. જુલાઇમાં, CPI આધારિત રિટેલ ફુગાવો 7.44% સાથે 15 મહિનાના સર્વાધિક સ્તરે રહ્યો હતો. જેમાં ખાસ કરીને ખાદ્યપદાર્થોની ઉચ્ચ કિંમતો મુખ્ય કારણ હતું. ‘મંથલી એશિયા પેસિફિક ક્રેડિટ ફોકસ’ વેબિનારને સંબોધિત કરતા રાણાએ જણાવ્યું હતું કે ભારતમાં ચોમાસું ખરાબ રહ્યું હતું અને સામાન્ય કરતાં 11 ટકા ઓછો વરસાદ રહ્યો હતો. તે એક ચિંતાનું કારણ બની શકે છે કારણ કે આગામી કેટલાક મહિનામાં તેની અસર અનાજની કિંમતો પર જોવા મળી શકે છે.

સરકારે તહેવારોની મોસમ પહેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે અને સ્થાનિક માર્કેટમાં ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે 40% એક્સપોર્ટ ડ્યૂટી પણ લાદી છે. સપ્લાય મજબૂત છે અને સરકાર કોમોડિટી, ઘઉં અને ચોખાની કિંમતોને અંકુશમાં લાવવા માટે પગલાં લેશે તે ચોક્કસ છે. સરકારના હસ્તક્ષેપને કારણે ખાદ્યપદાર્થોની મોંઘવારીને કેટલાક અંશે ઓછી રાખવામાં મદદ મળશે.

Read more

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ભાર્ગવ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ.21) આજે સવારે 10 વાગ્યા આસપાસ વાહન લઈને જતો હતો ત્યારે સરધાર ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે હડફેટે લેતા મા

By Gujaratnow
રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટના શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા જૂન, 2025ના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહે

By Gujaratnow
'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલો

By Gujaratnow