અમદાવાદમાં રમાનારી ભારત-પાક. મેચ જોખમમાં

અમદાવાદમાં રમાનારી ભારત-પાક. મેચ જોખમમાં

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ODI વર્લ્ડ કપ મેચ ફરીથી શેડ્યૂલ થવાનો ખતરો છે. બંને ટીમ વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. આ દિવસે નવરાત્રીનો તહેવાર પણ શરૂ થઈ રહ્યો છે. તેને જોતા સુરક્ષા એજન્સીએ મેચની તારીખ અથવા સ્થળ બદલવાનું સૂચન કર્યું છે.

બીજી તરફ, BCCI સેક્રેટરી જય શાહે આવતીકાલે એટલે કે ગુરુવારે જ સ્ટેટ એસોસિયેશન ઓફ વર્લ્ડ કપ વેન્યુની ઈમરજન્સી બેઠક બોલાવી છે. માનવામાં આવે છે કે મીટિંગમાં નવી મેચની તારીખ અથવા સ્થળ બદલવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

વધુ પડતી ભીડ સમસ્યાનું કારણ બનશે- BCCI અધિકારી
નામ જાહેર ન કરવાની શરતે, BCCI અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, 'અમે અન્ય વિકલ્પો (સ્થળો) શોધી રહ્યા છીએ, ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. સુરક્ષા એજન્સીએ કહ્યું કે નવરાત્રી જેવો દિવસ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈપ્રોફાઈલ મેચ માટે ટાળવો જોઈએ. મેચ માટે હજારો ચાહકો અમદાવાદ જશે, આ દિવસે નવરાત્રિના કારણે શહેરમાં ઘણી ભીડ જોવા મળશે.'

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow