ડે-કૅર સેન્ટરમાં અંધાધુંધ ફાયરિંગ, 24 બાળકો સહિત 36ના મોત

ડે-કૅર સેન્ટરમાં અંધાધુંધ ફાયરિંગ, 24 બાળકો સહિત 36ના મોત

થાઇલેન્ડમાં ગમગીનીનો માહોલ છે. અહીં ઉત્તર-પૂર્વ વિસ્તારમાં એક ડે-કૅર સેન્ટરમાં ગત દિવસોમાં ભરબપોરે બાળકોની નિર્મમ હત્યા કરવામાં આવી. બાળકોના શોકમાં પરિવારજનો મૃતદેહ પર ચોખા, રમકડા અને ફૂલો ચઢાવી રહ્યાં છે અને સામુહિક અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

6 ઓક્ટોબરના એ દિવસે ડે કૅર સેન્ટરમાં 3 વર્ષ સુધીના 11 બાળકો વર્ગમાં ચિત્ર દોરવામાં અને લખવામાં વ્યસ્ત હતા. 10 વાગ્યે શિક્ષકોએ હસતા-રમતા બાળકોના ફોટો વાલીઓને મોકલ્યા હતા. બે કલાક પછી એક પૂર્વ પોલીસ અધિકારી પન્યા કામરાબે ડે કૅર સેન્ટરમાં ઘૂસીને અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દીધો. નજરે જોનારાઓના જણાવ્યા પ્રમાણે તેણે કેજીના ત્રણ ક્લાસમાં જતા પહેલા 8 મહિનાની સગર્ભા શિક્ષિકા સહિત અન્ય કર્મચારીઓને ગોળી મારી હતી. તેણે સૂઈ રહેલા બાળકોની પણ હત્યા કરી.

આ દરમિયાન 3 વર્ષની એમી બચી ગઈ. જો કે તે કેવી રીતે બચી એ સ્પષ્ટ નથી. તે પોતાના મિત્રોના મૃતદેહની બાજુમાંથી મળી આવી હતી. તેને પરિવારને સોંપી દેવામાં આવી છે. આ ઘટનામાં 24 બાળકો સહિત 36ના મોત થયા છે. એમીને જોયા બાદ 59 વર્ષીય દાદા સોમસાક શ્રીથોંગે જણાવ્યું કે એમીને તેડી ત્યારે લાગ્યું કે તેના બધા જ દોસ્તો ઉંઘી રહ્યા છે. બચાવ ટુકડીએ તેને બહાર કાઢી હતી. એમીની દાદીએ તેને કહ્યું કે તેના શિક્ષકોની સાથે સ્કૂલના બધા જ દોસ્તોના મોત થયા છે. હાલ ડે કૅર સેન્ટર બંધ છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow