ભારતીયોને મળશે વધુ તક, અમેરિકામાં નોકરીમાં કાપ વચ્ચે આશા બંધાઈ

ભારતીયોને મળશે વધુ તક, અમેરિકામાં નોકરીમાં કાપ વચ્ચે આશા બંધાઈ

દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા જર્મની કુશળ પ્રવાસીઓની શોધમાં છે. જર્મની સરકારે દેશના વિકાસમાં યોગદાન આપી શકે તેવા કુશળ વ્યવસાયિકો માટે તેના દરવાજા ખોલવા તૈયાર છે. આ દિશામાં નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં ભારત સહિત અન્ય દેશોના કુશળ કામદારોના ઈમિગ્રેશન નિયમોમાં સુધારો કરવા માટે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

ડ્રાફ્ટ કાયદો ઇમિગ્રન્ટ્સને નાગરિકતા આપવા માટે જર્મનીમાં ઓછામાં ઓછી આઠ વર્ષની રહેઠાણની જરૂરિયાતને ઘટાડીને પાંચ વર્ષ કરે છે. વીસાના નિયમોમાં સુધારો થતા ઈમિગ્રન્ટ્સ ખૂશ છે. જર્મન લોજિસ્ટિક કંપની DHLના સત્ય એસ કહે છે, આ ડ્રાફ્ટને લઈને ઉત્સાહિત છું. હું અહિંના ભાષા શીખ્યા પછી અને મારી ડિગ્રી મેળવ્યા પછી જર્મન નાગરિકત્વ લેવા માગુ છું. મને આશા છે કે, હવે આ સપનું જલ્દી પૂરૂ થશે.

યુરોપિયન પછી જર્મનીમાં સૌથી વધુ ભારતીયો આવ્યા
ઈન્સ્ટીટ્યૂટ ઓફ એમ્પ્લોયમેન્ટ રિસર્ચ અનુસાર, જર્મનીને દરવર્ષે 4 લાખ કુશળ વ્યવ્સાયિકોની જરૂર છે. જર્મનીમાં ગયા વર્ષે 19 લાખ લોકો બીજા દેશમાંથી આવ્યા હતા. તેમાંથી 16 લાખ યુરોપીય સંઘના દેશ હતા. એટલે લગભગ 3 લાખ લોકો યુરોપની બહારથી આવેલા હતા. નવો કાયદો જર્મનીમાં બેવડી નાગરિકતાને સરળ બનાવે છે. તેવામાં આઈટી કુશળ ભારતીયો માટે સારી તક છે.

મોટા પાયે ડિજિટાઇઝેશનને કારણે આઇટીમાં વધુ નોકરીઓ
જર્મનીને ડિજિટાઇઝેશનની જરૂર છે, જેમાં નોકરીની તક છે. અહિંયા જૂના કોમ્પ્યુટર વાળા સ્કૂલ, ફેક્સ મશીન પર નિર્ભર કર્મચારીઓ છે. 2020 EU ડિજિટલ ઈકોનોમી અને સોસાયટી ઈન્ડેક્સમાં જર્મની 28 EU દેશોમાંથી 21મા ક્રમે હતું.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow