આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, બુમરાહ કેપ્ટન

આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, બુમરાહ કેપ્ટન

18 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. લગભગ એક વર્ષ બાદ ઈજામાંથી પરત ફરી રહેલા ઝડપી બોલર જસપ્રિત બુમરાહને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા જેવા તમામ સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયા માટે આ શ્રેણી મહત્વપૂર્ણ છે કારણ કે જસપ્રીત બુમરાહ તેની સાથે વાપસી કરી રહ્યો છે. ભારતીય ટીમને આવતા મહિને એશિયા કપ અને ત્યારબાદ ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપ રમવાનો છે. આવી સ્થિતિમાં જો બુમરાહ ફોર્મ સાથે વાપસી કરશે તો ટીમ મજબૂત બનશે.

ભારતીય સિલેક્ટર્સે આયર્લેન્ડ પ્રવાસ માટે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા જેવા લગભગ તમામ સિનિયર્સને આરામ આપ્યો છે, જ્યારે તિલક વર્મા, રિંકુ સિંહ અને જીતેશ શર્મા જેવા IPL સ્ટાર્સને ટીમમાં તક આપવામાં આવી છે. આ તમામે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

બુમરાહ 10 મહિના બાદ ટીમમાં વાપસી કરી રહ્યો છે
જસપ્રીત બુમરાહ લગભગ એક વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહ્યો છે. પીઠની ઈજા બાદ તે NCAમાં રિહેબિંગ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો. બુમરાહે ન્યૂઝીલેન્ડમાં તેની પીઠની સર્જરી પણ કરાવી હતી. બુમરાહે છેલ્લી મેચ 25 સપ્ટેમ્બર 2022ના રોજ હૈદરાબાદમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow