કેનેડાના ભારતવંશી સાંસદે કહ્યું- હિન્દુ કેનેડિયનોમાં ડર

કેનેડાના ભારતવંશી સાંસદે કહ્યું- હિન્દુ કેનેડિયનોમાં ડર

આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન, કેનેડાની સત્તાધારી લિબરલ પાર્ટીના એક સાંસદનું કહેવું છે કે દેશમાં રહેતા હિંદુ-કેનેડિયનોમાં ડર છે.

ભારતવંશી સાંસદ ચંદ્ર આર્યએ કહ્યું- ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ ખુલ્લેઆમ હિન્દુ-કેનેડિયનોને ભારત પાછા ફરવાની ધમકી આપે છે. આર્યએ ખાલિસ્તાની આતંકવાદીઓ પર લગામ ન લગાવવા માટે પોતાની સરકારને જવાબદાર ગણાવી હતી.

સીબીસી ન્યૂઝ સાથે વાત કરતાં આર્યએ કહ્યું- હું વડાપ્રધાન ટ્રુડોના નિવેદન પછી જે થયું તેના પરિણામોથી વધુ ચિંતિત છું. મારી ચિંતા હિંદુ-કેનેડિયનોની સુરક્ષા સાથે જોડાયેલી છે. આ લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

ખાલિસ્તાન ચળવળનો ઈતિહાસ હિંસા અને હત્યાઓથી ભરેલો છે. ખાલિસ્તાની આતંકવાદીઓએ હજારો હિન્દુ અને શીખ લોકોની હત્યા કરી હતી. 38 વર્ષ પહેલાં ખાલિસ્તાની આતંકવાદીઓએ એર ઈન્ડિયાની ફ્લાઈટ-182માં સવાર 329 નિર્દોષ લોકોની હત્યા કરી નાખી હતી, પરંતુ આજે પણ કેનેડામાં રહેતા કેટલાક લોકો આ આતંકવાદીઓની પૂજા કરે છે.

થોડા મહિના પહેલાં ટોરોન્ટોમાં એક રેલી કાઢવામાં આવી હતી. તેમાં ભૂતપૂર્વ ભારતીય વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. સફેદ સાડીમાં ઈન્દિરા ગાંધીના કટઆઉટ પર લોહી હતું, બે હત્યારા તેમની તરફ બંદૂક તાકીને ઊભા હતા. જે રેલીમાં આ ઝાંખી બતાવવામાં આવી હતી તે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાનું સેલિબ્રેશન મનાવવા માટે આયોજિત કરવામાં આવી હતી.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow