સેક્સ ક્ષમતા વધારવા ભારતીય પુરુષો ચોરી-છુપે કંઈક આવું કરી રહ્યાં છે, સર્વેમાં થયો ખુલાસો

સેક્સ ક્ષમતા વધારવા ભારતીય પુરુષો ચોરી-છુપે કંઈક આવું કરી રહ્યાં છે, સર્વેમાં થયો ખુલાસો

જયપુરમાં 87 ટકા પુરુષો જયારે ચંડીગઢમાં 62 ટકા પુરુષો સેક્સ ક્ષમતા વધારવા માટે આવી દવાઓનો ઉપયોગ કરે છે. જયપુરના લોકો માને છે કે આ વસ્તુને ખુબ વ્યક્તિગત છે જે જરુર પડવા પર જ ડોક્ટરને આ વાત બતાવે છે. સર્વેમાં છેલ્લું નિષ્કર્ષ નીકળ્યું કે 28 ટકા લોકો શારીરિક સંબંધ બનાવવા માટે વિયાગ્રા જેવી દવાઓનો સહારો લે છે.

લોકોમાં આવી જાગરૂકતા

ભારતમાં સેક્સ વિશે લોકો ખુલીને વાત કરવામાં ખચકાય છે જોકે  સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે હવે લોકો તેમની સેક્સ સમસ્યાઓ ડોકટર સામે પહેલા કરતા વધુ ખુલીને કહે છે. લોકોમાં સેક્સ વિશે વધુ જાગરૂકતા પણ જોવા મળી રહી છે. અલગ અલગ પ્રકારની શારીરિક સમસ્યાઓની શું અસર પડે છે અને તેનું સમાધાન કઈ રીતે લાવી શકાય છે તેના પર લોકોમાં જાગરૂકતા આવી છે.

જરૂરી નથી કે લોકો માત્ર ફેન્ટેસી માટે જ વિયાગ્રા લેતા હોય

ઘણા લોકો ડાયાબીટીસ થયા બાદ સારી રીતે સેક્સ લાઈફ માણી શકતા નથી. જે બાદ ઘણી વખત ડોક્ટર દ્વારા જ આવી દવાઓ લેવાની સલાહ આપવામાં આવે છે જેથી આવી વ્યક્તિઓ પણ શારીરિક સુખ લઇ શકે. આમ જરૂરી નથી કે લોકો માત્ર ફેન્ટેસી માટે જ વિયાગ્રા લેતા હોય. પુરુષોમાં મર્દાનગીની કમીએ હૃદયની સમસ્યાઓનું પહેલું લક્ષણ હોઈ શકે છે એવામાં બની શકે કે મોટા ભાગના લોકો ડોકટરોની સલાહ પર જ આવી દવાઓનું સેવન કરતા હોય.

ભારતમાં વિયાગ્રા જેવી દવાઓનું વેચાણ 40 ટકા જેટલું વધી ગયું

ડોકટરોનું તો એમ પણ માનવું છે કે દિવસભર કામની ચિંતા કરવાથી પણ લોકોની સેક્સ લાઈફ પર અસર પડે છે. વર્ષ 2018માં થયેલા એક સર્વે અનુસાર ભારતમાં વિયાગ્રા જેવી દવાઓનું વેચાણ 40 ટકા જેટલું વધી ગયું છે. આવી દવાઓના ઉપયોગ કરતા પહેલા એકવાર ડોકટરોથી સલાહ લેવી હિતાવહ છે. ઘણા લોકો સ્ટ્રેસની અસર તેમની રોમાન્ટિક લાઈફ પર ન પડે તે માટે વિયાગ્રા લેતા હોય છે.

ભારતમાં હજુ પણ લોકો વર્જિનિટીને ખુબ મહત્વ આપે છે

ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ મુજબ છેલ્લા આઠ વર્ષોમાં વિયાગ્રા સંબંધિત દવાઓ વેચનાર નવ લાખ કેમિસ્ટ વધ્યા છે. જુન 2010માં 18000 ડ્રગ યુનિટ વેચાયા હતા જયારે 2018માં તે વધીને 26000 યુનિટ પર પહોચી ગયું હતું. આ સિવાય આ સર્વેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે 33 ટકા લોકો અઢાર વર્ષ પહેલાં જ શારીરિક સંબંધ બાંધ્યો હતો. જ્યારે ભારતમાં હજુ પણ લોકો વર્જિનિટીને ખુબ મહત્વ આપે છે, 53 ટકા લોકોએ માન્યું કે તે વર્જિનિટીને ખુબ ગંભીર વિષય માને છે.

Read more

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow