ઇન્ડિયન ડાયસ્પોરા વિરોધમાં!

ઇન્ડિયન ડાયસ્પોરા વિરોધમાં!

ન્ડિયન ડાયસ્પોરા વિરોધમાં:સ્કોટલેન્ડમાં ભારતીયોએ કહ્યું - જો હમઝા યુસુફ આવશે તો અમે સુરક્ષિત રહીશું નહીં

લંડન25 મિનિટ પહેલાલેખક: લંડનથી ભાસ્કર માટે મોહમ્મદ અલી

ફર્સ્ટ મિનિસ્ટરની રેસમાં યુસુફ આગળ
સ્કોટલેન્ડમાં ફર્સ્ટ મિનિસ્ટર બનવાની રેસમાં નેશનલ પાર્ટી ( એસએનપી) નેતા અને પાકિસ્તાન મૂળના હમઝા યુસુફ સૌથી આગ‌ળ ચાલી રહ્યા છે. ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને ગયા મહિને રાજીનામું આપીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારબાદથી જ નવા ફર્સ્ટ મિનિસ્ટર ચૂંટી કાઢવા માટે કવાયત ચાલી રહી છે. યુસુફ સ્ટર્જનના સમયથી જ આરોગ્યમંત્રી રહ્યા છે. ઇન્ડિયન ડાયસ્પોરા ટોપ પદે તેમની દાવેદારીને લઇને ભારે નારાજ છે.

સ્કોટલેન્ડમાં ભારતીય સમુદાયના સંગઠન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સ્કોટલેન્ડના નેતાઓએ ભાસ્કરને કહ્યું હતું કે યુસુફના ફર્સ્ટ મિનિસ્ટર બનવાથી ભારતીય સમુદાય સુરક્ષિત રહેશે નહીં. આના કારણે જ ભારતીય સમુદાયના લોકો કેટ ફોર્બ્સનું સમર્થન કરી રહ્યા છે. કાઉન્સિલના અધ્યક્ષ નીલ લાલે કહ્યું છે કે જો યુસુફ ફર્સ્ટ મિનિસ્ટર બનશે તો આ સ્કોટલેન્ડ માટે એક આર્થિક આફત તરીકે જ રહેશે. યુસુફ મિલનસાર વ્યક્તિ નથી. સાથે ભારતીય સમુદાયના લોકોની ચિંતાને લઇને સંવેદનશીલ પણ નથી.

લાલે કહ્યું છે કે ભારતીય સમુદાયમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ અને યહૂદી જેવા તમામ ધર્મના લોકો છે. યુસુફ હમઝાને લઇને તમામ સુરક્ષા મુદ્દા પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ભારતીય સમુદાયના લોકો કાયદાને પાળે છે. પરિશ્રમી છે, દેશ પર ગર્વ કરે છે. યુસુફે એક નર્સરી પર હુમલો કર્યો હતો અને માફી માગ્યા વગર જતા રહ્યા હતા.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow