ભારતીય અમેરિકન શેફ અને લેખક રાઘવન ઐયરનું કેન્સરના કારણે નિધન!

ભારતીય અમેરિકન શેફ અને લેખક રાઘવન ઐયરનું કેન્સરના કારણે નિધન!

‘રસોડામાં આવતા જ હું ઉત્સાહિત થઈ જતો. રસોડાનું સંચાલન કરું ત્યારે લાગે કે મારા જીવન પર મારું નિયંત્રણ છે.’ આ વાત ભારતીય ભોજનને અમેરિકનોમાં લોકપ્રિય કરનારા જાણીતા શેફ અને ફૂડ રાઈટર રાઘવન ઐયરે એક ઈન્ટરવ્યૂમાં કહી હતી. કેન્સરના કારણે 61 વર્ષની વયે તેમનું નિધન થયું. મુંબઈમાં જન્મેલા ઐયર 21 વર્ષની ઉંમરે અમેરિકા ગયા हહતા. ખાણીપીણીને લગતાં સાત પુસ્તક પણ લખ્યાં. જાણો તેમના આ અનોખા અને પ્રેરક જીવન વિશે...

કિમોથેરપીના સેશન વચ્ચે પણ ‘કરી’ વિશે પુસ્તક લખ્યું હતું
કેમિસ્ટ્રીમાં સ્નાતક થયા પછી રાઘવન ઐયર અવઢવમાં હતા. પછી મુંબઈસ્થિત અમેરિકન વાણિજ્ય દૂતાવાસમાં તેમણે વિવિધ કોર્સની માહિતી લીધી અને મિનેસોટામાં હોસ્પિટાલિટી મેનેજમેન્ટ પર પસંદગી ઉતારી. 1982માં અમેરિકા પહોંચ્યા, ત્યારે ત્યાં દક્ષિણ ભારતીય ભોજન જેવું કંઈ ન હતું. પછી એક દુકાનમાંથી કરી પાઉડર લઈ આવ્યા અને બટાકાનું શાક બનાવ્યું, જે એટલું ખરાબ બન્યું કે તે રડી પડ્યા. જોકે, છ ભાષાના જાણકાર ઐયરે હાર ના માની. ભારતમાં માતા અને બહેનને આવી અનેક રેસિપી વિશે પૂછપરછ કરી. નવા મિત્રો પાસેથી ભોજન બનાવવાનાં સૂચનો લીધાં. પછી તો ભોજન બનાવવું તેમના માટે પ્રયોગ બની ગયું. તેમનું પહેલું પુસ્તક ‘બેટ્ટી ક્રોકર્સ ઈન્ડિયન હોમ કુકિંગ’ 2001માં આવ્યું હતું. છેલ્લું પુસ્તક ‘ઓન ધ કરી ટ્રેલઃ ચેન્જિંગ ધ ફ્લેવર ધેટ સિડ્યુસ્ડ ધ વર્લ્ડ’ તો તેમણે કિમોથેરપી લેતી વખતે લખ્યું હતું. તેમણે તેને ‘એ લવલેટર ટુ ધ કરી વર્લ્ડ’ ગણાવ્યું હતું. તેઓ એક સફળ શેફ અને લેખક હતા.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow