ત્રીજી T20માં ભારત 49 રને હાર્યું

ત્રીજી T20માં ભારત 49 રને હાર્યું

ઈન્દોરમાં રમાયેલી સિરીઝની છેલ્લી મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને 49 રને હરાવ્યું હતું. જોકે ટીમ ઈન્ડિયાએ 2-1થી સિરીઝ જીતી લીધી છે. કાર્તિકે 21 બોલમાં 46 રન ફટકાર્યા હતા. જોકે તેના સિવાય અન્ય બેટર ચાલ્યા નહોતા. અંતમાં દીપક ચહર (31) અને ઉમેશ યાદવે (20)* થોડી લડત આપવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તેઓ સફળ રહ્યા નહોતા. સાઉથ આફ્રિકા તરફથી ડ્વેઇન પ્રીટોરિયસે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે વેઈન પાર્નેલ, લુંગી એન્ગિડી અને કેશવ મહારાજને 2-2 વિકેટ મળી હતી. કાગિસો રબાડાને 1 વિકેટ મળી હતી.

ભારત-સાઉથ આફ્રિકાની સિરિઝમાં આજે અંતિમ મેચ પૂર્ણ થયા બાદ પ્લેયર ઓફ ધ સિરિઝ તરીકે સૂર્યા કુમાર યાદવના નામની જાહેરાત થઈ હતી. સૂર્યાકુમારની તોફાની રમતના કારણે ભારત બંને સિરિઝ જીતવામાં સફળ રહ્યું હતું.

અગાઉ સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 3 વિકેટે 227 રન કર્યા હતા. સાઉથ આફ્રિકાના રિલી રોસોયુએ 48 બોલમાં 100 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા આવ્યા હતા. તો ડિકોકે 43 બોલમાં 68 રન કર્યા હતા. અંતમાં મિલરે પણ 3 છગ્ગા ફટકારીને જોરદાર ફિનિશિંગ કર્યું હતું. ભારતીય બોલરોનો કંગાળ દેખાવ રહ્યો હતો. અશ્વિન સિવાયના અન્ય બોલરો ધોવાયા હતા. દીપક ચહર અને ઉમેશ યાદવને 1-1 વિકેટ મળી હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow