ભારત-ઇંગ્લેન્ડ મેચ

ભારત-ઇંગ્લેન્ડ મેચ

T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમી-ફાઈનલમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવ્યું. ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલરે અણનમ 80 અને એલેક્સ હેલ્સે અણનમ 86 રન બનાવ્યા હતા.

ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના નુકસાન પર 168 રન બનાવ્યા હતા. આ ઇનિંગના હીરો રહ્યા હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી. પંડ્યાએ 33 બોલમાં 63 અને વિરાટે 40 બોલમાં 50 રન બનાવ્યા હતા. અમે તમને આ સમાચારમાં આ ઇનિંગની કેટલીક યાદગાર ક્ષણો જણાવી રહ્યા છીએ.

સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 10 વિકેટે હાર્યા પછી ભારતીય કેપ્ટન રોહિત શર્મા હતાશ અને ઉદાસ થઈ ગયા હતા. મેચ પછી ઘણા સમય સુધી રોહિતે કોચ રાહુલ દ્રવિડ સાથે વાત કરી હતી. ત્યાર પછી રોહિત પોતાના આંસુ લુછતા ભાવુક થયા હતા. તેમને કોચ દ્રવિડે સંભાળ્યા. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ મેચ પત્યા પછી નિરાશ દેખાયા હતા. તેઓ ટૂર્નામેન્ટના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યા. તેમણે ટૂર્નામેન્ટની 6 મેચમાં 296 રન બનાવ્યા હતા.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow