ભારત-ઇંગ્લેન્ડ મેચ

ભારત-ઇંગ્લેન્ડ મેચ

T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમી-ફાઈનલમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવ્યું. ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલરે અણનમ 80 અને એલેક્સ હેલ્સે અણનમ 86 રન બનાવ્યા હતા.

ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના નુકસાન પર 168 રન બનાવ્યા હતા. આ ઇનિંગના હીરો રહ્યા હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી. પંડ્યાએ 33 બોલમાં 63 અને વિરાટે 40 બોલમાં 50 રન બનાવ્યા હતા. અમે તમને આ સમાચારમાં આ ઇનિંગની કેટલીક યાદગાર ક્ષણો જણાવી રહ્યા છીએ.

સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 10 વિકેટે હાર્યા પછી ભારતીય કેપ્ટન રોહિત શર્મા હતાશ અને ઉદાસ થઈ ગયા હતા. મેચ પછી ઘણા સમય સુધી રોહિતે કોચ રાહુલ દ્રવિડ સાથે વાત કરી હતી. ત્યાર પછી રોહિત પોતાના આંસુ લુછતા ભાવુક થયા હતા. તેમને કોચ દ્રવિડે સંભાળ્યા. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ મેચ પત્યા પછી નિરાશ દેખાયા હતા. તેઓ ટૂર્નામેન્ટના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યા. તેમણે ટૂર્નામેન્ટની 6 મેચમાં 296 રન બનાવ્યા હતા.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow