ભારત-કેનેડા વચ્ચેના વિવાદથી નિકાસને અસર નહીં: EEPC

ભારત-કેનેડા વચ્ચેના વિવાદથી નિકાસને અસર નહીં: EEPC

ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધો બગડવાથી દેશની નિકાસ પર કોઇ અસર નહીં થાય તેવું એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (EEPC)એ જણાવ્યું હતું. દેશની કેનેડા ખાતેની નિકાસ વર્ષ 2022-23 દરમિયાન $4.1 અબજ નોંધાઇ હતી. નિકાસની વસ્તુઓમાં ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઇલ્સ અને મશિનરી સામેલ છે, જ્યારે $4.06 અબજની આયાતમાં કઠોળ, પેપર તેમજ માઇનિંગ પ્રોડક્ટ્સ સામેલ છે.

EEPCના ચેરમેન અરુણ કુમાર ગરોડિયાએ જણાવ્યું હતું કે અમે નથી માનતા કે કેનેડા સાથે વણસેલા સંબંધોથી આપણી નિકાસ અથવા વેપાર પર કોઇ અસર થશે, જેનું કારણ લાંબા સમયથી બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો છે. અત્યાર જોવા મળી રહેલો તણાવ માત્ર થોડાક સમય માટે જ છે અને તેનું ટૂંક સમયમાં નિરાકરણ પણ આવશે. ટૂંક સમયમાં રાજદ્વારી વિવાદ દૂર થશે અને દેશની કેનેડા ખાતેની નિકાસમાં સતત વધારો યથાવત્ રહેશે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow