ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર ભારત પ્રથમ દેશ

ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર ભારત પ્રથમ દેશ

ભારતે ઈતિહાસ રચ્યો છે. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ચંદ્રના આ ભાગ પર લેન્ડિંગ કરનારો ભારત પહેલો દેશ બન્યો છે. જ્યારે ચંદ્રના કોઈપણ ભાગમાં યાન ઉતારનાર તે ચોથો દેશ બની ગયો છે. આ પહેલાં માત્ર અમેરિકા, સોવિયત યુનિયન અને ચીનને જ આ સફળતા મળી છે.

હવે બધા વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે. ધૂળ સ્થિર થયા પછી એ બહાર આવશે. એ લગભગ 1 કલાક 50 મિનિટ લેશે. આ પછી વિક્રમ અને પ્રજ્ઞાન એકબીજાના ફોટા પાડીને પૃથ્વી પર મોકલશે.

ભારત પહેલાં રશિયા ચંદ્રના સાઉથ પોલ પર લુના-25 ઉતારવાનું હતું. આ લેન્ડિંગ 21 ઓગસ્ટે થવાનું હતું, પરંતુ છેલ્લી ભ્રમણકક્ષા બદલતી વખતે એ ભટકી ગયું અને ચંદ્રની સપાટી પર ક્રેશ થયું.

ઈસરોના ડિરેક્ટર એસ. સોમનાથે કહ્યું- આગામી 14 દિવસ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રજ્ઞાન રોવરને બહાર આવવામાં એક દિવસ પણ લાગી શકે છે. પ્રજ્ઞાન આપણને ચંદ્રના વાતાવરણ વિશે માહિતી આપશે. અમારી પાસે ઘણા મિશન છે. ટૂંક સમયમાં જ સૂર્ય પર આદિત્ય એલ વન મોકલવામાં આવશે. ગગનયાન પર પણ કામ ચાલી રહ્યું છે.

ચંદ્ર પર પહોંચ્યા પછી ચંદ્રયાન-3એ સંદેશ મોકલ્યો - હું પોતાના લક્ષ્ય પર પહોંચી ગયો છું. દક્ષિણ આફ્રિકાથી દેશવાસીઓને અભિનંદન આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું- હવે ચંદા મામા દૂરના નથી.

Read more

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ભાર્ગવ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ.21) આજે સવારે 10 વાગ્યા આસપાસ વાહન લઈને જતો હતો ત્યારે સરધાર ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે હડફેટે લેતા મા

By Gujaratnow
રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટના શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા જૂન, 2025ના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહે

By Gujaratnow
'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલો

By Gujaratnow