ઇન્ડોનેશિયામાં 7 માળની ઇમારતમાં આગ, 20નાં મોત

ઇન્ડોનેશિયામાં 7 માળની ઇમારતમાં આગ, 20નાં મોત

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આજે એક 7 માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. સ્થાનિક ચેનલ કોમ્પાસ ટીવી અનુસાર, આ દુર્ઘટનામાં અત્યારસુધીમાં 20 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જેમાં 5 પુરુષ અને 15 મહિલાનો સમાવેશ થાય છે. તેમાંથી કેટલાકનાં મોત શ્વાસ રૂંધાવાથી થયાં હતાં.

મીડિયા રિપોર્ટ અનુસાર, કેટલાક લોકો હજુ પણ ઇમારતની અંદર ફસાયેલા છે તેમને બહાર કાઢવાનું કામ હજુ પણ ચાલુ છે.

જે ઇમારતમાં આગ લાગી હતી એ ટેરા ડ્રોન ઇન્ડોનેશિયાની ઓફિસ છે. આ કંપની ખનન (માઇનિંગ) અને ખેતી (એગ્રિકલ્ચર) સંબંધિત કાર્યો માટે ડ્રોન સર્વે સેવાઓ પૂરી પાડે છે.

આગની શરૂઆત ઇમારતની પહેલા માળથી થઈ. શરૂઆતમાં કર્મચારીઓએ આગ બુઝાવવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તેઓ એના પર કાબૂ મેળવી શક્યા નહીં. પોલીસે જણાવ્યું કે પહેલા માળ પર રાખેલી બેટરીઓમાં આગ લાગી ગઈ હતી. આને કારણે આગ ફેલાતી ગઈ અને જલદી જ સાતમા માળ સુધી ફેલાઈ ગઈ. હાલમાં આખી ઇમારતની તપાસ હજુ ચાલુ છે. ફાયરબ્રિગેડની ટીમ દરેક માળ તપાસી રહી છે.

Read more

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ભાર્ગવ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ.21) આજે સવારે 10 વાગ્યા આસપાસ વાહન લઈને જતો હતો ત્યારે સરધાર ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે હડફેટે લેતા મા

By Gujaratnow
રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટના શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા જૂન, 2025ના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહે

By Gujaratnow
'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલો

By Gujaratnow