ઉત્તર ભારતમાં ધુમ્મસના કહેરથી માર્ગ અકસ્માતમાં વધારો,

ઉત્તર ભારતમાં ધુમ્મસના કહેરથી માર્ગ અકસ્માતમાં વધારો,

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. સોમવારે ધુમ્મસના કારણે અનેક જીવલેણ અકસ્માતો થયા હતા, જેમાં એક ડઝનથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાના કાફલાનું વાહન પણ ધુમ્મસના કારણે અન્ય વાહન સાથે અથડાયું હતું. ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા બચી ગયા. આ સાથે રાજધાની દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડામાં ગાઢ ધુમ્મસના કારણે એક બસ પલટી ગઈ હતી. આ ઘટના દાનકૌર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગલગોટિયા યુનિવર્સિટીની સામે બની હતી.

ગ્રેટર નોઈડામાં બસની આગળ ચાલતું કન્ટેનર અચાનક બંધ થઈ જવાને કારણે પાછળથી બસ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં લગભગ 20 લોકો ઘાયલ થયા છે અને એક વ્યક્તિનું મોત થયું છે. બસ ઝાંસી થઈને દિલ્હી જઈ રહી હતી. બસ ગલગોટિયા યુનિવર્સિટીની સામે પહોંચી કે તરત જ તેની સામે ચાલતું કન્ટેનર અચાનક થંભી ગયું. કહેવામાં આવી રહ્યું છે કે, ત્યાં વિઝિબિલિટી ઓછી હોવાને કારણે વાહનોની સ્પીડ બંધ થઈ ગઈ હતી. ત્યારે બસ પાછળથી આવતા કન્ટેનર સાથે અથડાઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે બસ લગભગ 20 ફૂટ નીચે પડી હતી. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશમાં 13 લોકોના મોત

ગઈકાલે ઉત્તર ભારતમાં અનેક અકસ્માતો થયા હતા, જેમાં એકલા ઉત્તર પ્રદેશમાં 13 લોકોના મોત થયા હતા. આજે પણ ધુમ્મસના કારણે અનેક જગ્યાએ અકસ્માતો નોંધાયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સોમવારે ગાઢ ધુમ્મસના કારણે યુપીના ઘણા જિલ્લાઓમાં માર્ગ અકસ્માતો થયા હતા. આ અકસ્માતો દરમિયાન ઔરૈયામાં ત્રણ, કાનપુર દેહાત, અલીગઢ અને મૈનપુરીમાં બે-બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેવી જ રીતે, યુપીના બુલંદશહર, ઉન્નાવ, હાપુડ અને સહારનપુર જિલ્લામાં એક-એક મૃત્યુ થયું છે.

આ અકસ્માતોમાં અનેક લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, યુપીના ઔરૈયા જિલ્લામાં ગાઢ ધુમ્મસના કારણે આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં છથી વધુ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. ત્યાં ત્રણ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow