રોગ પ્રતિકારક શક્તિ વધશે તો કબજિયાત અને અપચામાં ફાયદાકારક, જાણો કોકમ ખાવાની સાચી રીત

રોગ પ્રતિકારક શક્તિ વધશે તો કબજિયાત અને અપચામાં ફાયદાકારક, જાણો કોકમ ખાવાની સાચી રીત

અનેક મસાલા તો સ્વાદમાં તો વધારે કરે છે પરંતુ હેલ્થ માટે ફાયદાકારક રહેશે. કોકમ એક ઔષધીય ફળ છે. તેનું બોટનિકલ નામ ગાર્સિનિયા ઇન્ડિકા છે. તેમાં ગારસીનોલ અને હાઈડ્રોક્સાઈટ્રીક એસિડ જોવા મળે છે,  

તેથી તે વજન ઘટાડવામાં મદદરૂપ છે. કેલરી ઓછી અને ફાઈબરથી ભરપૂર હોવાને કારણે કોકમ હૃદય માટે ફાયદાકારક છે. તે એક શક્તિશાળી એન્ટી ઑકિસડન્ટ છે. આયુર્વેદાચાર્ય અમિત સેન જણાવી રહ્યા છે કોકમ ખાવાના ફાયદા.  

હેલ્ધી લીવર માટે કોકમ ખાઓ
કોકમમાં ગારસીનોલ હોય છે, જે એક બાયોએક્ટિવ કમ્પાઉન્ડ છે જે એન્ટીઑકિસડન્ટ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ તરીકે કામ કરે છે. કોકમ લીવરને સ્વસ્થ બનાવે છે. NCBI (નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશન)ની વેબસાઈટ પર પ્રકાશિત મેડિકલ રિસર્ચમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોકમનું સેવન લીવર સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

પેટ ખરાબ છે તો કોકમ ખાઓ
જો ઝાડાની સમસ્યા હોય તો કોકમનો ઉપયોગ કરવામાં આવે તો રાહત થઇ શકે છે. કોકમ ફળમાં એવા ગુણ હોય છે જે નાથી ઝાડાને કંટ્રોલ કરી શકાય છે. જે લોકોને વારંવાર ઝાડાની સમસ્યા થતી હોય તો કોકમનો રસ પીવો જોઈએ. જો પાચન સંબંધી સમસ્યા હોય તો કોકમનું સેવન કરો. પેટ ફૂલવું, કબજિયાત અને અપચોમાં પણ કોકમ ખાવાથી ફાયદો થાય છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે
કોકમ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. કોકમમાં રહેલા ગુણો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સ્થિતિમાં એવું કહી શકાય કે નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે જે લોકો વારંવાર બીમાર રહે છે તેમના માટે કોકમ ફાયદાકારક માનવામાં આવે છે.  

પાઈલ્સમાં ફાયદાકારક
કોકમ ખાવાથી પાઈલ્સમાં ફાયદો થાય છે. કોકમમાં એન્ટી-પાઈલ્સ ગુણ હોય છે. કોકમની છાલ અને ઝાડના પાનનો રસ પીવાથી પણ ફાયદો થાય છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow