બાળકોને હેલ્ધી રાખવા માટે ડાયટમાં સામેલ કરો આ સુપરફૂડ, મળશે ચોક્કસ રિઝલ્ટ

બાળકોને હેલ્ધી રાખવા માટે ડાયટમાં સામેલ કરો આ સુપરફૂડ, મળશે ચોક્કસ રિઝલ્ટ

આજકાલ બાળકો બહારનુ જમવાનુ પસંદ કરે છે, પરંતુ તેમાં ન્યુટ્રિશિયન્સની કમી હોય છે, જે તેમના આરોગ્ય માટે હાનિકારક છે. બાળકોને તેમાંથી પુરુ પોષણ મળતુ નથી. સ્વસ્થ રહેવા માટે જરુરી છે કે બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવે. બાળકોના સારા આરોગ્ય માટે દરેક માતાઓ ખુબ ચિંતિત રહેતી હોય છે.

દહીં

દહીં કેલ્શિયમથી ભરપુર હોય છે અને તે હાડકા મજબુત બનાવે છે. ખોટુ જમવાના કારણે બાળકોનુ પેટ ખરાબ થઇ જાય છે, પરંતુ દહીં બાળકોના પાચનને યોગ્ય રાખવામાં મદદ કરે છે. બાળકોને રોજ એક કપ દહીં ખવડાવવુ જોઇએ. દહીંમા કેળુ મેશ કરીને તેમને ખવડાવી શકો છો.

સુકો મેવો

સુકા મેવા શરીરમાં ઉર્જા લાવે છે. રમતા બાળકોએ ખાસ તેનુ સેવન કરવુ જોઇએ. સુકા મેવામાં કિશમિશ, કાજુ , બદામ અને અખરોટ આપી શકાય. જો બાળકો તે ખાવાનુ પસંદ ન કરે તો તેમને ખીર કે હલવામાં તે નાખીને ખવડાવો. તમે તે કોઇ પણ સમયે તેમને ખાવા આપી શકો છો.

ફળ

ફળોમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે અને તે બિમારીઓથી બચાવે છે, તેથી બાળકોને જેમ બને તેમ ફળ વધુ ખવડાવવા જોઇએ. તેમને કેળા, સ્ટ્રોબેરી, દ્રાક્ષ, સફરજન જેવા ફળો ખવડાવવા જોઇએ. બાળકોને જમવાના બે કલાક પહેલા સફરજન ખવડાવો. તમે તેમને નાસ્તામાં સફરજન ખવડાવી શકો છો. તેનાથી બાળકોને જલ્દી ભુખ નહીં લાગે. બાળકોને અલગ અલગ રંગના ફળ ખવડાવવા જોઇએ.

પનીર

કેટલાક બાળકો શાકભાજી ખાવાનુ પસંદ કરતા નથી. આ કારણે તેમને પ્રોટીન અને કેલ્શિયમ મળી શકતુ નથી. આવા બાળકો માટે પનીર બહુ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન અને કેલ્શિયમ ઘણી માત્રામાં હોય છે. તેને બ્રેડની સાથે કે રોટી પર લગાવીને પણ ખાવા આપી શકાય છે. પનીર વધારે પડતુ પણ ન ખાવુ.

શક્કરિયા

શક્કરિયા પોષકતત્વોથી ભરપુર હોય છે. તેના મીઠા સ્વાદના કારણે બાળકો તેને ખાવાનુ પસંદ કરે છે. તેને ઉકાળીને બાળકોને દુધની સાથે આપી શકો છો. તેમાં વિટામીન એ હોય છે, જે બાળકોની આંખોને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત બાળકોને લીલા શાકભાજી, ઘઉંની રોટલી, દલિયા, ટામેટા પણ ખવડાવો. તે પણ પોષકતત્વોથી ભરપુર હોય છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow