બાળકોને હેલ્ધી રાખવા માટે ડાયટમાં સામેલ કરો આ સુપરફૂડ, મળશે ચોક્કસ રિઝલ્ટ

બાળકોને હેલ્ધી રાખવા માટે ડાયટમાં સામેલ કરો આ સુપરફૂડ, મળશે ચોક્કસ રિઝલ્ટ

આજકાલ બાળકો બહારનુ જમવાનુ પસંદ કરે છે, પરંતુ તેમાં ન્યુટ્રિશિયન્સની કમી હોય છે, જે તેમના આરોગ્ય માટે હાનિકારક છે. બાળકોને તેમાંથી પુરુ પોષણ મળતુ નથી. સ્વસ્થ રહેવા માટે જરુરી છે કે બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવે. બાળકોના સારા આરોગ્ય માટે દરેક માતાઓ ખુબ ચિંતિત રહેતી હોય છે.

દહીં

દહીં કેલ્શિયમથી ભરપુર હોય છે અને તે હાડકા મજબુત બનાવે છે. ખોટુ જમવાના કારણે બાળકોનુ પેટ ખરાબ થઇ જાય છે, પરંતુ દહીં બાળકોના પાચનને યોગ્ય રાખવામાં મદદ કરે છે. બાળકોને રોજ એક કપ દહીં ખવડાવવુ જોઇએ. દહીંમા કેળુ મેશ કરીને તેમને ખવડાવી શકો છો.

સુકો મેવો

સુકા મેવા શરીરમાં ઉર્જા લાવે છે. રમતા બાળકોએ ખાસ તેનુ સેવન કરવુ જોઇએ. સુકા મેવામાં કિશમિશ, કાજુ , બદામ અને અખરોટ આપી શકાય. જો બાળકો તે ખાવાનુ પસંદ ન કરે તો તેમને ખીર કે હલવામાં તે નાખીને ખવડાવો. તમે તે કોઇ પણ સમયે તેમને ખાવા આપી શકો છો.

ફળ

ફળોમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે અને તે બિમારીઓથી બચાવે છે, તેથી બાળકોને જેમ બને તેમ ફળ વધુ ખવડાવવા જોઇએ. તેમને કેળા, સ્ટ્રોબેરી, દ્રાક્ષ, સફરજન જેવા ફળો ખવડાવવા જોઇએ. બાળકોને જમવાના બે કલાક પહેલા સફરજન ખવડાવો. તમે તેમને નાસ્તામાં સફરજન ખવડાવી શકો છો. તેનાથી બાળકોને જલ્દી ભુખ નહીં લાગે. બાળકોને અલગ અલગ રંગના ફળ ખવડાવવા જોઇએ.

પનીર

કેટલાક બાળકો શાકભાજી ખાવાનુ પસંદ કરતા નથી. આ કારણે તેમને પ્રોટીન અને કેલ્શિયમ મળી શકતુ નથી. આવા બાળકો માટે પનીર બહુ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન અને કેલ્શિયમ ઘણી માત્રામાં હોય છે. તેને બ્રેડની સાથે કે રોટી પર લગાવીને પણ ખાવા આપી શકાય છે. પનીર વધારે પડતુ પણ ન ખાવુ.

શક્કરિયા

શક્કરિયા પોષકતત્વોથી ભરપુર હોય છે. તેના મીઠા સ્વાદના કારણે બાળકો તેને ખાવાનુ પસંદ કરે છે. તેને ઉકાળીને બાળકોને દુધની સાથે આપી શકો છો. તેમાં વિટામીન એ હોય છે, જે બાળકોની આંખોને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત બાળકોને લીલા શાકભાજી, ઘઉંની રોટલી, દલિયા, ટામેટા પણ ખવડાવો. તે પણ પોષકતત્વોથી ભરપુર હોય છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow