સમય ગુમાવ્યા વગર તમારા ડાયટમાં આ વસ્તુને સામેલ કરી દો, લોહી તો વધશે જ સાથે ત્વચાનો રંગ પણ નિખરી ઊઠશે

સમય ગુમાવ્યા વગર તમારા ડાયટમાં આ વસ્તુને સામેલ કરી દો, લોહી તો વધશે જ સાથે ત્વચાનો રંગ પણ નિખરી ઊઠશે

આમ તો ટામેટાં આપણાં ભોજનનો મહત્ત્વનો હિસ્સો છે. જો તમે તેનો તમારા ભોજનમાં ઉપયોગ નથી કરતાં તો હવે સમય ગુમાવ્યા વગર તમારા ડાયટમાં ફેરફાર કરો. નિયમિત ટામેટાંનો ખાવામાં ઉપયોગ કરીને એકદમ હેલ્ધી રહો.  


જો તમને શરીરમાં લોહીની ઊણપ વર્તાતી હોય અને ચહેરો ફિક્કો પડી ગયો હોય તો શક્ય તેટલાં વધુ ટામેટાં ખાઓ. આનાથી તમારું લોહી તો વધશે જ સાથે ત્વચાનો રંગ પણ નિખરી ઊઠશે.

ટામેટાંમાં લોહતત્વની માત્રા ઘણી વધારે
ટામેટાંમાં લોહતત્ત્વની માત્રા દૂધની સરખામણીએ બે ગણી અને ઈંડાંની તુલનાએ પાંચ ગણી હોય છે. વિટામિન-એ, બી, સી સિવાય તેમાં પોટેશિયમ તેમજ તાંબુ હોય છે. લોહતત્ત્વની દૃષ્ટિએ અન્ય તમામ ફળોમાં તે સર્વશ્રેષ્ઠ છે. તે લોહીની ઊણપ દૂર કરી શરીરને પુષ્ટ, સુડોળ અને સ્ફૂર્તિલું
બનાવે છે.

ટમેટા ખાવાથી વજન વધતું નથી
ટામેટાંને પૌષ્ટિક અને ઔષધીય ગુણોથી એટલાં પરિપૂર્ણ માનવામાં આવે છે કે જો સવારના નાસ્તામાં તમે માત્ર બે ટામેટાં પણ ખાઈ લો તો તે સંપૂર્ણ ભોજન બરાબર થઈ જાય છે, તેનાથી વજન બિલકુલ વધતું નથી અને તે શરીરના નાના-મોટા વિકારો દૂર કરે છે, તેનાથી પેટ સાફ આવે છે અને દાંત તેમજ પેઢાંની નબળાઈ દૂર કરવામાં, ચહેરાનું તેજ વધારવામાં અને શરીરની નિર્બળતા દૂર કરવા માટે ટામેટાંનું નિયમિત સેવન કરવું જોઈએ.

ટામેટાં ખાવાના ફાયદા સમજી લો

  • ખાતાં પહેલાં પાકેલું લાલ ટામેટું કાપી તેના પર સિંધવ મીઠું અને કાળાં મરીનો ભૂકો નાખી તેને આદું સાથે ખાઓ, ત્યાર બાદ ભોજન કરો. આ રીતે ખાવાથી પાચનક્રિયા ફાસ્ટ થશે.
  • ટામેટાંના નિયમિત સેવનથી મોઢાનાં ચાંદાં સારાં થઈ જાય છે. કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
  • આ સિવાય ડાયાબિટિસ અને આંખની નબળાઈ જેવા રોગ પણ ટામેટાંના સેવનથી દૂર રહે છે.
  • ગર્ભવતી સ્ત્રી અને વૃદ્ધોએ પણ શિયાળામાં ટામેટાંનું નિયમિત સવારે સેવન કરવું જોઈએ. આ તેમના માટે ટોનિકનું કામ કરશે.
  • દરરોજ સવારે ત્રણ-ચાર ટામેટાં કાચાં જ ખાઈ શરીરને સ્વસ્થ-બળવાન બનાવી શકાય છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow