ઉત્તરાયણ પર અકસ્માતની ઘટનાઓ

ઉત્તરાયણ પર અકસ્માતની ઘટનાઓ

મહેસાણા જિલ્લામાં ઉતરાયણના પર્વ પર 108 એમ્બ્યુલન્સને ધાબેથી પડી જવાના 5 કેસ, રોડ અકસ્માતના 11 કેસ મળ્યા હતા. જેથી 108 એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યાં હતા.
ઉતરાયણ પર્વની મહેસાણા જિલ્લામાં લોકોએ ધામધૂમથી ઉજવણી કરી હતી. જોકે. અનેક સ્થળે માર્ગ અકસ્માત, દોરીથી ઘવાઈ જવાના કેસ 108 એમ્બ્યુલન્સને મળ્યા હતા. જેથી 108ના કર્મીઓએ તાત્કાલિક સ્થળ પર જઇ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચતા કર્યા હતા.


​​​​​​​સતલાસણામાં બાળકીને દોરી વાગતા ઈજાગ્રસ્ત
આજે સતલાસણા તાલુકામાં આવેલા વઘાર ગામની બાળકીને પતંગની દોરી વાગતા ઘાયલ થઈ હતી. જેથી0 પરિવારે 108ને જાણ કરતા એમ્બ્યુલન્સ તાત્કાલિક ગામે દોડી આવી હતી. બાળકીને પ્રાથમિક સારવાર આપી સતલાસણા આરોગ્ય કેન્દ્રમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી.


​​​​​​​બોરીસાના ગામે બાઈક ચાલક યુવકના ગળે દોરી વિંટાઈ
મહેસાણા જિલ્લામાં ઉતરાયણના દિવસ દરમિયાન અમદાવાદથી બાઈક લઇ બેચરાજી જઇ રહેલા હેમંત સોલંકીને કડી તાલુકાના બોરીયાવી નજીક ગળાના ભાગે 2 ઇંચ જેટલો દોરો ઘુસી ગયો હતો. બાદમાં 108 મારફતે કડી ભાગ્યોદય હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

​​​​​​​બોરીસાના ગામે બાઈક ચાલક યુવકના ગળે દોરી વિંટાઈ
મહેસાણા જિલ્લામાં ઉતરાયણના દિવસ દરમિયાન અમદાવાદથી બાઈક લઇ બેચરાજી જઇ રહેલા હેમંત સોલંકીને કડી તાલુકાના બોરીયાવી નજીક ગળાના ભાગે 2 ઇંચ જેટલો દોરો ઘુસી ગયો હતો. બાદમાં 108 મારફતે કડી ભાગ્યોદય હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.


​​​​​​​જિલ્લામાં માર્ગ અકસ્માતના 11 કેસ
મહેસાણા જિલ્લા 108 અધિકારી જૈમીન પ્રજાપતિએ દિવ્ય ભાસ્કરને જણાવ્યા પ્રમાણે ઉતરાયણના દિવસે 108 એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લામાં દોરી વાગવાના 2 કેસ, રોડ અકસ્માત ના 11 કેસ, ધાબે થી પડી જવાના 5 કેસ અને મારામારીના 4 કેસ આજે સાંજે 5 કલાક સુધી 108 એમ્બ્યુલન્સને મળ્યા હતા.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow