Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
📌 Rajkot

રસરંગ લોકમેળાને ધ્યાને રાખી પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

Gujaratnow1 min read
રસરંગ લોકમેળાને ધ્યાને રાખી પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

રાજકોટના રેસકોર્સ મેદાન પર સાતમ-આઠમના તહેવાર પર યોજાતો સૌરાષ્ટ્રભરના લોકપ્રિય મેળાનું આગામી તા.5થી પ્રારંભ થઇ રહ્યો છે. રસરંગના નામથી યોજાનાર લોકમેળાનો આનંદ લેવા સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઊમટી પડતા હોય છે. લોકોની વચ્ચે વાહનો પણ પસાર થતા હોય ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે વાહન વ્યવહાર સરળ બને, અકસ્માતના બનાવો ન બને તેમજ લોકો મેળાનો આનંદ લઇ શકે તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.

જેમાં તા.5થી તા.9 એમ પાંચ દિવસ માટે રેસકોર્સ રિંગ રોડ ફરતે મેળો શરૂ થાય ત્યારથી અને પૂરો થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી અને નો પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે. આ જાહેરનામામાં પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહિની, ફાયર બ્રિગેડના વાહનો તેમજ સરકારી વાહનોને મુક્તિ આપવામાં આવી છે.

Gujaratnow1 min read

Related News