ઉપલેટા તાલુકામાં એક જ માસમાં 43 વીઘા ગૌચર પર 28 ભુમાફિયાનું દબાણ

ઉપલેટા તાલુકામાં એક જ માસમાં 43 વીઘા ગૌચર પર 28 ભુમાફિયાનું દબાણ

ઉપલેટા તાલુકાના બે ગામમા ચાલુ માસે ગૌચરની જમીન ઉપર ભુમાફિયાઓ ગૌચરની જમીન ખાઈ ગયા છે. આ બંને ગામની 43 વીઘામાં ભુમાફિયાઓએ દબાણ કર્યું છે. જિલ્લામાં ભુમાફિયાઓ બેફામ બન્યા છે અને ગૌચરની જમીનમાં આડેધડ દબાણ કરી રહ્યા છે. ઉપલેટા તાલુકાના ત્રણ ગામમાં ગૌચરની 12 વીઘા જમીન ઉપર 5 ભુમાફિયાઓએ દબાણ કર્યું હતું.

જ્યારે છેલ્લા એક જ માસમાં માત્ર 2 ગામમાં જ 43 વીઘા ગૌચરની જમીન માફિયાઓ ચરી ગયા છે. ગામમાં ગૌચરની જમીન ઉપર દબાણ કે ગેરકાયદેસર બાંધકામ ન થાય તેની જવાબદારી ગ્રામપંચાયતની હોય છે. ગ્રામપંચાયત દ્વારા આવા દબાણકારોને નોટિસ મોકલવામાં આવતી હોય છે અને યોગ્ય આધાર પુરાવા માંગવામાં આવતા હોય છે. પરંતુ વર્ષોથી રાજકોટ જિલ્લાના ગામોમાં ગૌચરની જમીન ઉપર દબાણ છે તે દૂર કરવામાં અધિકારીઓ ડરી રહ્યા છે.

5 ગામમાં 33 ગૌચરની 59 વીઘા જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હોવાનું જમીન દબાણ શાખામા નોંધાયું છે. ગોંડલ, જેતપુર, લોધિકા, ઉપલેટામાં ગૌચરની જમીન ઉપર મોટાપાયે ભુમાફિયાઓએ દબાણ કર્યું હોવાનું સરકારી ચોપડે જ નોંધાયું છે ત્યારે ખાનગી જમીન ઉપર કબજો-દબાણ કરનારાઓ ભુમાફિયાઓ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે પરંતુ રાજકોટ જિલ્લામાં મોટાપાયે ગૌચરની જમીન ઉપર દબાણ કરનારા ભુમાફિયાઓ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરતા અધિકારીઓને ડર લાગી રહ્યો છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow