ઉપલેટા તાલુકામાં એક જ માસમાં 43 વીઘા ગૌચર પર 28 ભુમાફિયાનું દબાણ

ઉપલેટા તાલુકામાં એક જ માસમાં 43 વીઘા ગૌચર પર 28 ભુમાફિયાનું દબાણ

ઉપલેટા તાલુકાના બે ગામમા ચાલુ માસે ગૌચરની જમીન ઉપર ભુમાફિયાઓ ગૌચરની જમીન ખાઈ ગયા છે. આ બંને ગામની 43 વીઘામાં ભુમાફિયાઓએ દબાણ કર્યું છે. જિલ્લામાં ભુમાફિયાઓ બેફામ બન્યા છે અને ગૌચરની જમીનમાં આડેધડ દબાણ કરી રહ્યા છે. ઉપલેટા તાલુકાના ત્રણ ગામમાં ગૌચરની 12 વીઘા જમીન ઉપર 5 ભુમાફિયાઓએ દબાણ કર્યું હતું.

જ્યારે છેલ્લા એક જ માસમાં માત્ર 2 ગામમાં જ 43 વીઘા ગૌચરની જમીન માફિયાઓ ચરી ગયા છે. ગામમાં ગૌચરની જમીન ઉપર દબાણ કે ગેરકાયદેસર બાંધકામ ન થાય તેની જવાબદારી ગ્રામપંચાયતની હોય છે. ગ્રામપંચાયત દ્વારા આવા દબાણકારોને નોટિસ મોકલવામાં આવતી હોય છે અને યોગ્ય આધાર પુરાવા માંગવામાં આવતા હોય છે. પરંતુ વર્ષોથી રાજકોટ જિલ્લાના ગામોમાં ગૌચરની જમીન ઉપર દબાણ છે તે દૂર કરવામાં અધિકારીઓ ડરી રહ્યા છે.

5 ગામમાં 33 ગૌચરની 59 વીઘા જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હોવાનું જમીન દબાણ શાખામા નોંધાયું છે. ગોંડલ, જેતપુર, લોધિકા, ઉપલેટામાં ગૌચરની જમીન ઉપર મોટાપાયે ભુમાફિયાઓએ દબાણ કર્યું હોવાનું સરકારી ચોપડે જ નોંધાયું છે ત્યારે ખાનગી જમીન ઉપર કબજો-દબાણ કરનારાઓ ભુમાફિયાઓ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે પરંતુ રાજકોટ જિલ્લામાં મોટાપાયે ગૌચરની જમીન ઉપર દબાણ કરનારા ભુમાફિયાઓ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરતા અધિકારીઓને ડર લાગી રહ્યો છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow