મોરબીની દુર્ઘટનામાં ત્રિભુવનભાઈની આંખે દેખી, કહ્યું કે ઝુલાવો નહી પડશે ત્યાં તો ધડામ દઈને તૂટી પડ્યો

મોરબીની દુર્ઘટનામાં ત્રિભુવનભાઈની આંખે દેખી, કહ્યું કે ઝુલાવો નહી પડશે ત્યાં તો ધડામ દઈને તૂટી પડ્યો

મોરબીની દુર્ઘટનાથી આજે સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું છે. જે દુર્ઘટનામાં અનેક ઘર ઉજાડ્યા છે. જે દુર્ઘટનાથી અનેક પરિવારે હિબકે ચડ્યું છે. જેણે પોતીકા ગુમાવ્યા છે તેમનો દુ:ખ અપાર છે. મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટતા સમયે ત્યાં હાજર ત્રિભુવનભાઈ સાથે આ ઘટના અંગે ખાસ વાતચીત કરી છે. ત્રિભુવનભાઈએ વાતચીત દરમિયાન જણાવ્યું કે બ્રિજ તૂટ્તાની સાથે જ સીધો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

ત્રિભુવનભાઈની આંખે દેખી

મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટવાની સમગ્ર ઘટનાની આંખે દેખી સામે આવી છે. ઘટના સમયે હાજર ત્રિભુવનભાઈ સાથે વાતચીતમાં જણાવ્યું છે કે, બ્રિજ તૂટ્યો બાદ સીધો પાણીમાં ગરકાવ થઈ ગયો અને જેમાં હું પાણીમાંથી બહાર આવ્યો અને દોરડું હાથમાં આવતા પકડી લીધું હતું. ત્રિભુવનભાઈ જણાવ્યું કે, મારી એક ભાણીને પકડીને જાળી ઉપર ચડાવી અને હું મારી બીજી ભાણીને ન બચાવી શક્યો નહી તેમણે જણાવ્યું કે, સ્થાનિકો મને અને મારી ભાણેજને લઈ ગયા તેથી મારો જીવ બચી ગયો તેમણે જણાવ્યું કે, એક ભાણી પાણીમાં ગરકાવ થતા મૃત્યુ પામી છે.

ત્રિભુવનભાઈ જણાવ્યું કે, લોકો પુલને ઝુલાવતા હતા ત્યારે મેં કહ્યું કે ઝુલાવો નહી પડશે ત્યાં તો ધડામ દઈએને પુલ તૂટી પડ્યો હતો. બ્રિજ તૂટ્યો બાદ સીધો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેમણે કહ્યું મારા હાથમાં દોરડું હાથમાં આવતા પકડી લીધું હતું અને હું બચી ગયો.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow