સર ટી.માં દર્દીઓના સંબંધીને બહાર સુવાની ફરજ

સર ટી.માં દર્દીઓના સંબંધીને બહાર સુવાની ફરજ

શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં દર્દીની સાથે આવેલ સંબંધીઓ રાત્રે સુવાની વ્યવસ્થા ન હોવાથી તેમને બહાર સૂવાની ફરજ પડે છે. હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ પથિકાશ્રમ બનાવાય કે જેમાં દર્દીના સંબંધીને દરેક ઋતુમાં રક્ષણ મળી રહે તેવી લોકમાંગ ઉઠી છે.

શહેરની આ હોસ્પિટલમાં શહેરના તથા બહાર ગામના દર્દીઓ પણ સારવાર લેવા માટે દાખલ થયેલા હોય છે. ત્યારે દર્દીની સાથે આવેલ માત્ર એક સંબંધીને જ સાથે રહેવાની છૂટ આપવામાં આવે છે, બાકીના ગ્રામ્ય વિસ્તારથી સાથે આવેલ સંબંધીઓને બહાર સૂવું પડતા ભારે હાલાકી ભોગવી પડે છે.

સંબંધીઓને બહાર સૂવું પડતા ભારે હાલાકી
જો હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ પથિકાશ્રમ બનાવાય કે જેમાં દર્દીના સંબંધીને શિયાળો, ઉનાળો, ચોમાસું જેવી ઋતુમાં રક્ષણ મળી રહે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. સર ટી. હોસ્પિટલના કેમ્પસમાં સ્થિત કેન્સર હોસ્પિટલમાં સ્ત્રીઓનો મેડિસિન, ઓપ્થલ જેવા વોર્ડ આવેલા છે. જેથી દર્દીની સાથે એક મહિલા સંબંધીને સાથે રહેવાની છૂટ હોય અને બાકીના સંબંધીઓને રાત્રિના સમયે સાથે રહેવાની મંજૂરી ન હોવાથી આજે કમોસમી વરસાદની હાલતમાં પણ તેઓને બહાર ધકેલવામાં આવ્યા હતા. જેથી તેઓને ભારે હાલાકી ભોગવી પડી હતી.

દર્દી સાથે એક સંબંધીને રહેવાની છૂટ મળે છે
હાલ હોસ્પિટલને ફેરવણી કાર્યવાહી થઈ રહી છે ત્યારે જગ્યાનો અભાવ જણાય છે. તેમજ પ્રથમ પ્રાથમિકતા દર્દીને આપવામાં આવે છે જેથી તેમના સંબંધીને સાથે રહેવા એક વ્યક્તિને છૂટ અપાય છે. જોકે હોસ્પિટલમાં વિવિધ જગ્યાઓ પર બેન્ચવાળો વિસામો બનાવાયા છે. તેમાં પણ લોકો સુતા હોય છે. પરંતુ દર્દીને તેમની ઓચિંતી જરૂર પડે તે માટે તેઓ વોર્ડની નજીક જ સુવાનું પસંદ કરતા હોય છે

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow