રાજકોટમાં NSUIએ 'પંચાયત મંત્રી રાજીનામું આપે'ના નારા લગાવી સુત્રોચાર કર્યા, ટીંગાટોળી સાથે અટકાયત

રાજકોટમાં NSUIએ 'પંચાયત મંત્રી રાજીનામું આપે'ના નારા લગાવી સુત્રોચાર કર્યા, ટીંગાટોળી સાથે અટકાયત

તાજેતરમાં જ જુનિયર ક્લાર્કનું પેપર લેવાય તે પૂર્વે જ પેપર ફૂટયાનો બનાવ સામે આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગણતરીની જ કલાકોમાં ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ પણ કરી હતી. ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક વખત NSUIના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ઇન્દિરા સર્કલ ખાતે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પેપર લીકની ઘટનાને લઇ સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તેમજ પંચાયત મંત્રી રાજીનામું આપે તેવી માંગ પણ કરી હતી. ત્યારે પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરનારા હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. તો સાથે જ ઇન્દિરા સર્કલ ખાતે ઓવરબ્રિજ પર પૂતળું લટકાવી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ ટમેટા ફેંકી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

10 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર
નોંધનીય છે કે ગત તારીખ 29 જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર હતું. પરંતુ રાત્રે જ પેપર ફૂટી જતા 9 લાખ 53,000થી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ હતી. સવારે કડકડતી ઠંડીમાં 4-4 અને 5-5 વાગ્યે ઉઠીને પરીક્ષા કેન્દ્રો પર પહોંચે તે પહેલા ઉમેદવારોને બસસ્ટેન્ડ સ્ટેશને જ જાણ થઈ ગઈ કે, પેપર તો ફૂટી ગયું હતું.જેમ પોલીસે 15 જેટલા આરોપીની ધરપકડ કરી હતી. આ ચકચારી બનાવમાં ઝડપાયેલા 15 આરોપીને મંગળવારે કોર્ટ સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરતાં જ્યુ.મેજિ.એ તમામ આરોપીના તા.10 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરનારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી
પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરનારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી‌

પેપર મેળવવા માટેનું કાવતરું રચવામાં આવ્યું
તપાસ અધિકારીએ આરોપીના રિમાન્ડની માંગણી કરતાં રજૂઆત કરી હતી કે, 20 દિવસ પહેલા હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસની બહાર આવેલી ચા-નાસ્તાની હોટલ નજીક પ્રેસમાંથી કોઇ પણ રીતે પેપર મેળવવા માટેનું કાવતરું રચવામાં આવ્યું હતું. પ્રેસના કર્મચારી શ્રદ્ધાકર પાસેથી પેપર મેળવવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં કોઇ સરકારી કર્મચારીઓની સંડોવણી છે કે કેમ ? તેની તપાસ કરવાની છે. એટીએસના પી.આઇ. જે.એમ. પટેલે આરોપીના રિમાન્ડની માંગણી કરી હતી અને તેમણે રજૂઆત કરી હતી કે આ કૌભાંડમાં અન્ય કોણ સંડોવાયેલા છે તેની તપાસ જરૂરી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow