રાજકોટમાં મારી દીકરીને માતાજી આવે છે કહી સાસુ તેની વહુને ત્રાસ આપતા

રાજકોટમાં મારી દીકરીને માતાજી આવે છે કહી સાસુ તેની વહુને ત્રાસ આપતા

શહેરના ભગવતીપરા વિસ્તારમાં માતા પિતા સાથે રહેતી અને મહારાષ્ટ્રમાં સાસરું ધરાવતી યુવતીએ ત્રાસ આપનાર સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી, અંધશ્રધ્ધામાં પરોવાયેલા સાસરિયા અમારી દીકરીને માતાજી આવે છે તેમ કહી પરિણીતાને તેના પતિ સાથે રહેવા દેતા નહી અને પતિ મારકુટ કરતો હતો.

ભગવતીપરામાં રહેતી અશ્વિની પાટીલે મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહારાષ્ટ્રના શિરપુર તાલુકાના ઝવડ ગામે રહેતા પતિ હેમરાજ પાટીલ, સાસુ સિંધુબાઇ પાટિલ, સસરા નારાયણ માનિક પાટિલ અને બે નણંદ નલીની તથા જ્યોત્સના પાટિલના નામ આપ્યા હતા, અશ્વિનીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દસ વર્ષ પૂર્વે તેના લગ્ન હેમરાજ પાટીલ સાથે થયા હતા અને સંતાનમાં બે પુત્ર છે, લગ્નના બે મહિના પછી પતિ સહિતના સાસરિયાનો ત્રાસ શરૂ થયો હતો, સાસરિયાઓ અશ્વિનીને ઘરમાં કયાય અડવા દેતા નહોતા અને અમારી દીકરી નલીનીને માતાજી આવે છે .

જેથી તમે પતિ પત્ની સાથે રહી શકો નહીં તેમ કહી અશ્વિનીને મકાનના નીચેના રૂમમાં એકલી રાખવામાં આવતી હતી જેમાં લાઇટ કે પંખાની પણ વ્યવસ્થા નહોતી, પતિ મારકૂટ કરતો હતો અને અશ્વિનીના માતા પિતા ત્યાં જતા તો તેને પણ મારકૂટ કરતા હતા, સાસરિયાના ત્રાસથી કંટાળી અશ્વિની બંને સંતાનો સાથે રાજકોટ પિયર આવી ગઇ હતી. પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow