રાજકોટમાં બારોબાર GST નંબર મેળવી ત્રણ પેઢી પાસેથી પૈસા પડાવ્યા

રાજકોટમાં બારોબાર GST નંબર મેળવી ત્રણ પેઢી પાસેથી પૈસા પડાવ્યા

રાજકોટમાં આજી ડેમ પાસે હાર્ડવેરનું કારખાનું ધરાવતા વેપારીની પેઢીનો જીએસટી નંબર બારોબાર મેળવી અમદાવાદના બે ગઠિયાએ તે જીએસટી નંબરના આધારે બારોબાર બિલ બનાવી બિહારની બે સહિત ત્રણ પેઢીના સંચાલકો પાસેથી નાણાં ખંખેરી લીધા હતા, રાજકોટ સાયબર ક્રાઇમની ટીમે બંનેને સકંજામાં લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ગોંડલ ચોકડી પાસેના બાલાજીપાર્કમાં રહેતા અને આજી ડેમ ચોકડી પાસે ઓમકાર ઇન્ટરનેશનલ નામે હાર્ડવેરની ફેક્ટરી ધરાવતાં મોહિતભાઇ ભરતભાઇ લાંભિયા (ઉ.વ.30)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મોહિતભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે અને તેમાં ઓમકાર ઇન્ટરનેશનલ નામે બિઝનેસ પ્રોફાઇલ બનાવી હતી, ગત તા.22 ઓક્ટોબરના બિહારની સાંઇ સેલ્સ નામની પેઢીના સંચાલકે ફોન કરીને જાણ કરી હતી કે, તમને રૂ.49664 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા છે છતાં માલ હજુ મળ્યો નથી, ત્યારબાદ 9 નવેમ્બરે ઇન્દોરની ગણેશ ટિમ્બર નામની પેઢીના સંચાલકે ફોન કરી પેમેન્ટ કર્યું હોવા છતાં માલ નહીં મળ્યાની ફરિયાદ કરી હતી, બાદમાં 3 ફેબ્રુઆરીના બિહારની ભવાની હાર્ડવેર નામની પેઢીના સંચાલકે પણ એવી જ ફરિયાદ કરતાં મોહિતભાઇને પોતાના જીએસટી નંબર અને બિલનો ગેરઉપયોગ થયાની શંકા ઊઠી હતી, ત્રણેય પેઢીએ જે મોબાઇલ નંબર પર ઓનલાઇન નાણાંનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું તે મોબાઇલ નંબર મોહિતભાઇએ મેળવીને સાયબર ક્રાઇમના અધિકારીને સોંપતા તેના પર તપાસ શરૂ થઇ હતી.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow