રાજકોટમાં થેલિસિમિયાગ્રસ્ત દીકરી ગરબે ઘૂમી રક્તદાન કરવા લોકોને અપીલ કરશે

રાજકોટમાં થેલિસિમિયાગ્રસ્ત દીકરી ગરબે ઘૂમી રક્તદાન કરવા લોકોને અપીલ કરશે

નવરાત્રિ એ શક્તિની આરાધનાનું પર્વ ગણાય છે. નવે નવ દિવસ પ્રાચીન અને અર્વાચીન રાસની જમાવટ થશે. ત્યારે આ વખતે થેલિસિમિયાગ્રસ્ત દીકરીઓ પણ ગરબે ઘૂમીને લોકોને રક્તદાન કરવા માટે અપીલ કરશે. જ્યારે પ્રાચીન ગરબી મંડળમાં સળગતી ઈંઢોણીનો રાસ, મશાલ રાસ તેમજ તલવાર રાસ રજૂ કરીને મહિલા શક્તિનું મહત્ત્વ રજૂ કરશે. બાળાઓ જ્યારે મશાલ રાસ, તલવાર રાસ અને સળગતી ઈંઢોણીનો રાસ રજૂ કરે છે. ત્યારે નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે.

15 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થશે. હાલ પ્રાચીન ગરબીમાં દીકરીઓ રાસ-ગરબાની પ્રેક્ટિસ કરી રહી છે. આ ઉપરાંત સામાજિક જવાબદારીના ભાગરૂપે અનેક ગરબી મંડળમાં છેલ્લા દિવસે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ચક્ષુદાન અને અંગદાન માટે જાગૃતિ લાવવામાં આવશે. આઠમના દિવસે હવન યોજાશે. એ સિવાય મંદિરોમાં પણ વિશેષ શણગાર કરાશે.

શહેરમાં જ્યાં પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં બાળાઓ પ્રેક્ટિસ કરે છે. આયોજકના જણાવ્યા અનુસાર બાળાઓ તલવાર રાસ રજૂ કરશે તેની પુરતી સુરક્ષા રાખવામાં આવી છે.

Read more

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુ

By Gujaratnow
ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યો

ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યો

અલ્બેનિયન વડાપ્રધાન એડી રામાએ ફરી એક વખત તેમના શાનદાર અંદાજથી લોકોનાં દિલ જીતી લીધાં છે. રોમમાં યુક્રેન રિકવરી કોન્ફરન્સમાં એડી રામા અને ઈટા

By Gujaratnow