રાજકોટમાં થેલિસિમિયાગ્રસ્ત દીકરી ગરબે ઘૂમી રક્તદાન કરવા લોકોને અપીલ કરશે

રાજકોટમાં થેલિસિમિયાગ્રસ્ત દીકરી ગરબે ઘૂમી રક્તદાન કરવા લોકોને અપીલ કરશે

નવરાત્રિ એ શક્તિની આરાધનાનું પર્વ ગણાય છે. નવે નવ દિવસ પ્રાચીન અને અર્વાચીન રાસની જમાવટ થશે. ત્યારે આ વખતે થેલિસિમિયાગ્રસ્ત દીકરીઓ પણ ગરબે ઘૂમીને લોકોને રક્તદાન કરવા માટે અપીલ કરશે. જ્યારે પ્રાચીન ગરબી મંડળમાં સળગતી ઈંઢોણીનો રાસ, મશાલ રાસ તેમજ તલવાર રાસ રજૂ કરીને મહિલા શક્તિનું મહત્ત્વ રજૂ કરશે. બાળાઓ જ્યારે મશાલ રાસ, તલવાર રાસ અને સળગતી ઈંઢોણીનો રાસ રજૂ કરે છે. ત્યારે નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે.

15 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થશે. હાલ પ્રાચીન ગરબીમાં દીકરીઓ રાસ-ગરબાની પ્રેક્ટિસ કરી રહી છે. આ ઉપરાંત સામાજિક જવાબદારીના ભાગરૂપે અનેક ગરબી મંડળમાં છેલ્લા દિવસે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ચક્ષુદાન અને અંગદાન માટે જાગૃતિ લાવવામાં આવશે. આઠમના દિવસે હવન યોજાશે. એ સિવાય મંદિરોમાં પણ વિશેષ શણગાર કરાશે.

શહેરમાં જ્યાં પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં બાળાઓ પ્રેક્ટિસ કરે છે. આયોજકના જણાવ્યા અનુસાર બાળાઓ તલવાર રાસ રજૂ કરશે તેની પુરતી સુરક્ષા રાખવામાં આવી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow