રાજકોટમાં ફૂડશાખાની 50 જગ્યાએ તપાસ, દાઝિયાતેલનો નાશ

રાજકોટમાં ફૂડશાખાની 50 જગ્યાએ તપાસ, દાઝિયાતેલનો નાશ

સપ્તાહ બાદ જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે. આ સમયે જ મોટા જથ્થામાં ફરસાણ બનાવીને સ્ટોક કરીને રખાય છે જેથી એક જ તેલમાં વારંવાર ફરસાણ તળવામાં આવે છે. જેને લઈને ફૂડ શાખાએ ફરસાણ અને મીઠાઈ વેચતા 50થી વધુ ધંધાર્થીઓની તપાસ કરી હતી જેમાં 13 ધંધાર્થીઓને નોટિસ અપાઈ હતી અને 12 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો છે. નિર્મલા રોડ પર આનંદ ફરસાણમાંથી 8 કિલો, ઉમિયા ફરસાણમાંથી 1.5 કિલો, હનુમાન મઢી ચોકમાં મુરલીધર ફરસાણમાંથી 2.5 કિલો દાઝિયાતેલનો નાશ કરાયો છે. સર્વેલન્સ ચેકિંગમાં મવડી બાયપાસ રોડ પર જીજીએમ સ્વીટમાંથી કેશર પેંડા જ્યારે મવડીમાં અવધ રેસિડેન્સીમાં સદગુરૂ ડેરીમાથી છૂટક દૂધના નમૂના લેવામાં આવ્યા છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow