રાજકોટમાં ફૂડશાખાની 50 જગ્યાએ તપાસ, દાઝિયાતેલનો નાશ

રાજકોટમાં ફૂડશાખાની 50 જગ્યાએ તપાસ, દાઝિયાતેલનો નાશ

સપ્તાહ બાદ જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે. આ સમયે જ મોટા જથ્થામાં ફરસાણ બનાવીને સ્ટોક કરીને રખાય છે જેથી એક જ તેલમાં વારંવાર ફરસાણ તળવામાં આવે છે. જેને લઈને ફૂડ શાખાએ ફરસાણ અને મીઠાઈ વેચતા 50થી વધુ ધંધાર્થીઓની તપાસ કરી હતી જેમાં 13 ધંધાર્થીઓને નોટિસ અપાઈ હતી અને 12 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો છે. નિર્મલા રોડ પર આનંદ ફરસાણમાંથી 8 કિલો, ઉમિયા ફરસાણમાંથી 1.5 કિલો, હનુમાન મઢી ચોકમાં મુરલીધર ફરસાણમાંથી 2.5 કિલો દાઝિયાતેલનો નાશ કરાયો છે. સર્વેલન્સ ચેકિંગમાં મવડી બાયપાસ રોડ પર જીજીએમ સ્વીટમાંથી કેશર પેંડા જ્યારે મવડીમાં અવધ રેસિડેન્સીમાં સદગુરૂ ડેરીમાથી છૂટક દૂધના નમૂના લેવામાં આવ્યા છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow