રાજકોટમાં 10,775 બહેનોએ ભેગા મળીને 75 લાખ તલનો હાર બનાવ્યો

રાજકોટમાં 10,775 બહેનોએ ભેગા મળીને 75 લાખ તલનો હાર બનાવ્યો

સ્વામિનારાયણ ગુરુકુળના અમૃત મહોત્સવનું આજે સમાપન થવાનું છે. આ મહોત્સવમાં બાળકોથી લઇને વૃદ્ધો સૌ કોઇએ પોતાનું યોગદાન આપ્યું છે. જેમાં સ્વામિનારાયણ ગુરુકુળ મહિલા મંડળની બહેનોએ વિશેષ જહેમત ઉઠાવી છે. 10,775 બહેનોએ પોતાની સેવા આપી કુલ 75 લાખ તલનો હાર બનાવ્યો હતો. આ હાર ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરવામાં આવ્યો છે.

એક બહેને કુલ 2 ફૂટનો હાર બનાવ્યો છે. આ હાર બનાવતા બે કલાકનો સમય લાગ્યો હતો. બહેનોએ તૈયાર કરેલો હાર સુરતના યુવાનોએ ભગવાનને અર્પણ કર્યો હતો. આ સિવાય બહેનોએ શાકભાજી, અનાજ, ઘઉં સાફ કરવા, રસોઈ બનાવાવમાં, મહેમાનો માટે ઓશીકા, રજાઈ, ગાદલા બનાવવાની કામગીરીમાં પણ સેવા આપી હતી. અમૃત મહોત્સવમાં અર્પણ કરેલા તલના હારમાંથી પ્રસાદી બનશે જે હરિભક્તોને વિતરણ કરવામાં આવશે. મહોત્સવ દરમિયાન નારી કા સન્માન રાષ્ટ્ર કા ઉત્થાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 હજારથી વધુ મહિલાઓ જોડાયા હતા.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow