રાજકોટમાં 10,775 બહેનોએ ભેગા મળીને 75 લાખ તલનો હાર બનાવ્યો

રાજકોટમાં 10,775 બહેનોએ ભેગા મળીને 75 લાખ તલનો હાર બનાવ્યો

સ્વામિનારાયણ ગુરુકુળના અમૃત મહોત્સવનું આજે સમાપન થવાનું છે. આ મહોત્સવમાં બાળકોથી લઇને વૃદ્ધો સૌ કોઇએ પોતાનું યોગદાન આપ્યું છે. જેમાં સ્વામિનારાયણ ગુરુકુળ મહિલા મંડળની બહેનોએ વિશેષ જહેમત ઉઠાવી છે. 10,775 બહેનોએ પોતાની સેવા આપી કુલ 75 લાખ તલનો હાર બનાવ્યો હતો. આ હાર ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરવામાં આવ્યો છે.

એક બહેને કુલ 2 ફૂટનો હાર બનાવ્યો છે. આ હાર બનાવતા બે કલાકનો સમય લાગ્યો હતો. બહેનોએ તૈયાર કરેલો હાર સુરતના યુવાનોએ ભગવાનને અર્પણ કર્યો હતો. આ સિવાય બહેનોએ શાકભાજી, અનાજ, ઘઉં સાફ કરવા, રસોઈ બનાવાવમાં, મહેમાનો માટે ઓશીકા, રજાઈ, ગાદલા બનાવવાની કામગીરીમાં પણ સેવા આપી હતી. અમૃત મહોત્સવમાં અર્પણ કરેલા તલના હારમાંથી પ્રસાદી બનશે જે હરિભક્તોને વિતરણ કરવામાં આવશે. મહોત્સવ દરમિયાન નારી કા સન્માન રાષ્ટ્ર કા ઉત્થાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 હજારથી વધુ મહિલાઓ જોડાયા હતા.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow