રાજકોટમાં 10,775 બહેનોએ ભેગા મળીને 75 લાખ તલનો હાર બનાવ્યો

રાજકોટમાં 10,775 બહેનોએ ભેગા મળીને 75 લાખ તલનો હાર બનાવ્યો

સ્વામિનારાયણ ગુરુકુળના અમૃત મહોત્સવનું આજે સમાપન થવાનું છે. આ મહોત્સવમાં બાળકોથી લઇને વૃદ્ધો સૌ કોઇએ પોતાનું યોગદાન આપ્યું છે. જેમાં સ્વામિનારાયણ ગુરુકુળ મહિલા મંડળની બહેનોએ વિશેષ જહેમત ઉઠાવી છે. 10,775 બહેનોએ પોતાની સેવા આપી કુલ 75 લાખ તલનો હાર બનાવ્યો હતો. આ હાર ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરવામાં આવ્યો છે.

એક બહેને કુલ 2 ફૂટનો હાર બનાવ્યો છે. આ હાર બનાવતા બે કલાકનો સમય લાગ્યો હતો. બહેનોએ તૈયાર કરેલો હાર સુરતના યુવાનોએ ભગવાનને અર્પણ કર્યો હતો. આ સિવાય બહેનોએ શાકભાજી, અનાજ, ઘઉં સાફ કરવા, રસોઈ બનાવાવમાં, મહેમાનો માટે ઓશીકા, રજાઈ, ગાદલા બનાવવાની કામગીરીમાં પણ સેવા આપી હતી. અમૃત મહોત્સવમાં અર્પણ કરેલા તલના હારમાંથી પ્રસાદી બનશે જે હરિભક્તોને વિતરણ કરવામાં આવશે. મહોત્સવ દરમિયાન નારી કા સન્માન રાષ્ટ્ર કા ઉત્થાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 હજારથી વધુ મહિલાઓ જોડાયા હતા.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow