નિનોરામાં 108 બટુકોએ મંત્રોચ્ચાર સાથે પુષ્પવર્ષા કરી રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું; બાળકો સાથે ઝુમ્યા રાહુલ, કમલનાથ અને દિગ્વિજય

મધ્યપ્રદેશમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો મંગળવારે સાતમો દિવસ છે. સવારે યાત્રા શરૂ થઈ હતી. આ યાત્રા ઉજ્જૈન જિલ્લામાં પહોંચી ગઈ છે. રાહુલ ગાંધી બપોરે બાબા મહાકાલના દર્શન કરશે. આ સાથે તેઓ એક વિશાળ સભાને પણ સંબોધન કરશે. આ અંગે ઉજ્જૈનમાં તૈયારીઓ પુરી કરવામાં આવી છે.
યાત્રા શરૂ થતા જ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને લોકો ઉમટી પડ્યા હતા. મોર્નિંગ બ્રેક યથાર્થ ફ્યુચરિસ્ટિક સ્કૂલ નિનોરા ખાતે કરવામાં આવ્યો હતો.જણાવવામાં આવી રહ્યું છે કે, રાહુલ રસ્તામાં બડે જિનાલયની પણ મુલાકાત લેશે.
આ પહેલા સોમવારે રાહુલ ગાંધીએ ઈન્દોરમાં યાત્રા કાઢી હતી અને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
યાત્રાના અપડેટ્સ...
- ટી બ્રેક દરમિયાન રાહુલ ગાંધી, પુર્વ મુખ્યમંત્રી કમલનાથ અને દિગ્વિજય સિંહ બાળકો અને યુવાઓ સાથે ઝુમ્યા હતા.
- રાહુલ ગાંધી બપોરે 3 વાગે ઉજ્જૈનમાં તપોભૂમિ ખાતે જૈન સંત પ્રજ્ઞા મુનિ સાગરના આશીર્વાદ લેશે. તેઓ અહીં મહાવીર સ્વામીની મૂર્તિને પુષ્પહાર કરશે. કીર્તિ સ્તંભનું ઉદ્ઘાટન પણ કરશે.
- નિનોરા પાસે આવેલા બાલારામ જાટ ઢાબા પર ચા-પાણી કર્યા હતા.