Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🇮🇳 India

નિનોરામાં 108 બટુકોએ મંત્રોચ્ચાર સાથે પુષ્પવર્ષા કરી રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું; બાળકો સાથે ઝુમ્યા રાહુલ, કમલનાથ અને દિગ્વિજય

Gujaratnow1 min read
નિનોરામાં 108 બટુકોએ મંત્રોચ્ચાર સાથે પુષ્પવર્ષા કરી રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું; બાળકો સાથે ઝુમ્યા રાહુલ, કમલનાથ અને દિગ્વિજય

મધ્યપ્રદેશમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો મંગળવારે સાતમો દિવસ છે. સવારે યાત્રા શરૂ થઈ હતી. આ યાત્રા ઉજ્જૈન જિલ્લામાં પહોંચી ગઈ છે. રાહુલ ગાંધી બપોરે બાબા મહાકાલના દર્શન કરશે. આ સાથે તેઓ એક વિશાળ સભાને પણ સંબોધન કરશે. આ અંગે ઉજ્જૈનમાં તૈયારીઓ પુરી કરવામાં આવી છે.

યાત્રા શરૂ થતા જ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને લોકો ઉમટી પડ્યા હતા. મોર્નિંગ બ્રેક યથાર્થ ફ્યુચરિસ્ટિક સ્કૂલ નિનોરા ખાતે કરવામાં આવ્યો હતો.જણાવવામાં આવી રહ્યું છે કે, રાહુલ રસ્તામાં બડે જિનાલયની પણ મુલાકાત લેશે.

આ પહેલા સોમવારે રાહુલ ગાંધીએ ઈન્દોરમાં યાત્રા કાઢી હતી અને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

યાત્રાના અપડેટ્સ...

  • ટી બ્રેક દરમિયાન રાહુલ ગાંધી, પુર્વ મુખ્યમંત્રી કમલનાથ અને દિગ્વિજય સિંહ બાળકો અને યુવાઓ સાથે ઝુમ્યા હતા.
  • રાહુલ ગાંધી બપોરે 3 વાગે ઉજ્જૈનમાં તપોભૂમિ ખાતે જૈન સંત પ્રજ્ઞા મુનિ સાગરના આશીર્વાદ લેશે. તેઓ અહીં મહાવીર સ્વામીની મૂર્તિને પુષ્પહાર કરશે. કીર્તિ સ્તંભનું ઉદ્ઘાટન પણ કરશે.
  • નિનોરા પાસે આવેલા બાલારામ જાટ ઢાબા પર ચા-પાણી કર્યા હતા.
Gujaratnow1 min read

Related News