મ્યુચ્યુઅલ ફંડ્સમાં મેમાં 14.19 લાખ SIP એકાઉન્ટ બંધ થયાં

મ્યુચ્યુઅલ ફંડ્સમાં મેમાં 14.19 લાખ SIP એકાઉન્ટ બંધ થયાં

દેશની મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં SIP મારફતે ફંડના મજબૂત પ્રવાહ છતાં મે મહિના દરમિયાન કુલ 14.19 લાખ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા હતા. જેની ટકાવારી 7.4 ટકા છે. આ જ સમયમાં એટલે કે મે દરમિયાન નવા એસઆઇપી એકાઉન્ટની સંખ્યા વધીને 24.7 લાખ નોંધાઇ છે. જે એપ્રિલ દરમિયાન 19.56 લાખ હતી. જે મે દરમિયાન નવા 5 લાખ એકાઉન્ટનો ઉમેરો દર્શાવે છે તેવું એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI)એ જણાવ્યું હતું.

મે મહિનામાં બંધ થયેલા એકાઉન્ટની સામે નવા SIP એકાઉન્ટની વધુ સંખ્યા રોકાણકારોમાં આ રૂટ પર રહેલો ભરોસો દર્શાવે છે તેવું SBI મ્યુ. ફંડના ડેપ્યુટી એમડી અને સીબીઓ ડી.પી.સિંઘે જણાવ્યું હતું. તેનું એક કારણ ઑનલાઇન માધ્યમ મારફતે સરળતાપૂર્વક એકાઉન્ટને બંધ કરવાની પ્રક્રિયા પણ હોય શકે છે. બીજી તરફ રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ચાલુ રાખતા ગત મહિને SIPમાં કુલ રૂ.14,749 કરોડનું રોકાણ જોવા મળ્યું હતું જેમાં એપ્રિલ દરમિયાન રૂ.13,728 કરોડનો ઘટાડો થયો હતો. માર્ચમાં તે રૂ.14,276 કરોડ હતુ.

આ મજબૂત રોકાણના પ્રવાહને કારણે SIPની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 5 ટકા વધીને રૂ.7.53 લાખ કરોડ નોંધાઇ હતી જે એપ્રિલ દરમિયાન રૂ.7.17 લાખ કરોડ હતી. SIPમાં વધુને વધુ રોકાણ દર્શાવે છે કે રોકાણકારોએ સરેરાશ ટિકિટ સાઇઝ કરતાં તેમાં વધુ રોકાણ કર્યું છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow