જૂનાગઢમાં 11,52,855 ભાવિકોએ લીલી પરિક્રમા કરી

જૂનાગઢમાં 11,52,855 ભાવિકોએ લીલી પરિક્રમા કરી

જૂનાગઢમાં યોજાતી લીલી પરિક્રમામાં 11,52,855 ભાવિકો જોડાયા હતા. હવે એકપણ પરિક્રમાર્થી જંગલમાં ન હોય લીલી પરિક્રમાને સંપન્ન જાહેર કરાઇ છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના ગિરનારના 36 કિમીના જંગલમાં લીલી પરિક્રમા યોજાઇ હતી. કારતક સુદ અગિયારસ- 4 નવેમ્બરના વિધીવત રીતે પરિક્રમાનો પ્રારંભ થતો હોય છે. જોકે, દર વર્ષે વ્હેલી પરિક્રમા શરૂ થાય છે. ત્યારે આ વર્ષે પણ ભાવિકોની ભીડ વધી ગઇ હતી. પરિણામે વન વિભાગને વહિવટી તંત્રની સૂચના મુજબ ગેઇટ ખોલવાની ફરજ પડી હતી.

જેના કારણે 3 નવેમ્બરની વ્હેલી સવારના 5 વાગ્યાથી લીલી પરિક્રમાનો પ્રારંભ કરાયો હતો. દરમિયાન 8 નવેમ્બરના લીલી પરિક્રમા સંપન્ન થઇ છે. આ અંગે ઇગલ વાયરલેસના અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 11,52,855 ભાવિકોએ લીલી પરિક્રમા કરી છે.

હવે જંગલમાં એકપણ પરિક્રમાર્થી બાકી રહ્યો નથી. પરિણામે 8 નવેમ્બર- મંગળવાર બપોરના 2:15 વાગ્યાથી પરિક્રમાને સંપન્ન થયેલી જાહેર કરી દેવાઇ છે. દરમિયાન લાખ્ખોની સંખ્યામાં ભાવિકો હોવા છત્તાં શાંતિપૂર્ણ માહોલમાં લીલી પરિક્રમા સંપન્ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. મોટાભાગના પરિક્રમાર્થી પોતાના વતન ભણી રવાના થઇ ગયા હોય હવે શહેરમાં પણ ભાવિકોની ભીડ જોવા મળતી નથી.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow