જૂનાગઢમાં 11,52,855 ભાવિકોએ લીલી પરિક્રમા કરી

જૂનાગઢમાં 11,52,855 ભાવિકોએ લીલી પરિક્રમા કરી

જૂનાગઢમાં યોજાતી લીલી પરિક્રમામાં 11,52,855 ભાવિકો જોડાયા હતા. હવે એકપણ પરિક્રમાર્થી જંગલમાં ન હોય લીલી પરિક્રમાને સંપન્ન જાહેર કરાઇ છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના ગિરનારના 36 કિમીના જંગલમાં લીલી પરિક્રમા યોજાઇ હતી. કારતક સુદ અગિયારસ- 4 નવેમ્બરના વિધીવત રીતે પરિક્રમાનો પ્રારંભ થતો હોય છે. જોકે, દર વર્ષે વ્હેલી પરિક્રમા શરૂ થાય છે. ત્યારે આ વર્ષે પણ ભાવિકોની ભીડ વધી ગઇ હતી. પરિણામે વન વિભાગને વહિવટી તંત્રની સૂચના મુજબ ગેઇટ ખોલવાની ફરજ પડી હતી.

જેના કારણે 3 નવેમ્બરની વ્હેલી સવારના 5 વાગ્યાથી લીલી પરિક્રમાનો પ્રારંભ કરાયો હતો. દરમિયાન 8 નવેમ્બરના લીલી પરિક્રમા સંપન્ન થઇ છે. આ અંગે ઇગલ વાયરલેસના અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 11,52,855 ભાવિકોએ લીલી પરિક્રમા કરી છે.

હવે જંગલમાં એકપણ પરિક્રમાર્થી બાકી રહ્યો નથી. પરિણામે 8 નવેમ્બર- મંગળવાર બપોરના 2:15 વાગ્યાથી પરિક્રમાને સંપન્ન થયેલી જાહેર કરી દેવાઇ છે. દરમિયાન લાખ્ખોની સંખ્યામાં ભાવિકો હોવા છત્તાં શાંતિપૂર્ણ માહોલમાં લીલી પરિક્રમા સંપન્ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. મોટાભાગના પરિક્રમાર્થી પોતાના વતન ભણી રવાના થઇ ગયા હોય હવે શહેરમાં પણ ભાવિકોની ભીડ જોવા મળતી નથી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow